Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, સરકારે કહ્યું-20 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા ભાવ

|

Nov 05, 2021 | 10:03 PM

સેક્રેટરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ખાદ્ય તેલના ભાવ છેલ્લા દસ દિવસમાં ઊંચા સ્તરે રહ્યા છે, પરંતુ અન્ય પગલાં જેમ કે આયાત ડ્યૂટીમાં ઘટાડો અને સંગ્રહખોરીને રોકવા માટે સ્ટોક મર્યાદા લાદવાથી સ્થાનિક ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળશે.

Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, સરકારે કહ્યું-20 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા ભાવ
Edible Oil - File Photo

Follow us on

ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશભરના મુખ્ય છૂટક બજારોમાં ખાદ્ય તેલ (Edible Oil)ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 5-20 નો ઘટાડો થયો છે. આયાત ડ્યૂટીમાં ઘટાડા સાથે સરકાર દ્વારા લેવામાં આવેલા અન્ય પગલાંને કારણે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થયો છે.

અધિકારીએ કહ્યું કે બ્રાન્ડેડ ઓઈલ કંપનીઓએ નવા સ્ટોક માટેના દરોમાં પણ સુધારો કર્યો છે. વૈશ્વિક કિંમતોને અનુરૂપ સ્થાનિક ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને અન્ય દેશોમાં બાયોફ્યુઅલ માટે ખાદ્ય તેલના ઉપયોગ (ડાઇવર્ઝન) પછી ખાદ્ય તેલની ઉપલબ્ધતા ઘટી છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે.

‘ખાદ્ય તેલના ભાવમાં પૂરતો ઘટાડો’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પાંડેએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, સરકારે ગ્રાહકોને ઊંચા ભાવોથી રાહત સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. અમે 167 કેન્દ્રોમાં તેની અસર શેર કરી ખુશ છીએ. દેશભરના મુખ્ય છૂટક બજારોમાં ખાદ્યતેલના ભાવમાં રૂ. 5 થી રૂ. 20 પ્રતિ કિલોની રેન્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

તેઓએ કહ્યું કે, ઉદાહરણ તરીકે દિલ્હીમાં રિટેલ પામ ઓઈલની કિંમત 3 નવેમ્બરના રોજ રૂ. 139 પ્રતિ કિલોથી ઘટીને 6 રૂપિયાથી ઘટીને 133 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી, જ્યારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં તે 140 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 18 રૂપિયાના ઘટાડાથી 122 રુપીયા પ્રતિ કિલો થઈ હતી. જ્યારે તમિલનાડુના કુડ્ડલોરમાં તે 7 રૂપિયા ઘટીને 125 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો હતો.

તેમણે જણાવ્યું હતું કે સીંગતેલના છૂટક ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ. 5-10 નો ઘટાડો થયો હતો, જ્યારે સોયાબીન તેલમાં રૂ. 5-11 પ્રતિ કિલો અને સૂર્યમુખી તેલમાં રૂ. 5-20 પ્રતિ કિલોગ્રામનો ઘટાડો 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. સરકાર દેશભરના 167 કેન્દ્રોમાંથી 6 ખાદ્ય તેલના છૂટક ભાવો પર નજર રાખે છે.

સરસવના તેલના ભાવમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી

સરસવના તેલ અંગે સચિવે જણાવ્યું હતું કે, અમે ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોયો નથી, પરંતુ સરકાર દ્વારા આયાત ડ્યૂટીને તર્કસંગત બનાવવા સહિતના પગલાંની અસર સરસવના તેલના ભાવ પર પણ પડશે. તેમણે કહ્યું, સરસવના તેલના ભાવમાં પણ ઘટાડો જોવા મળે તેવી આશા છે. તેમણે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં સરસવની વર્તમાન વાવણી સારી છે. તેમણે કહ્યું કે રવી પાક સરસવના વાવેતર હેઠળનો વિસ્તાર એક વર્ષ અગાઉના સમયગાળાની તુલનામાં 11 ટકા વધુ સારો છે.

જ્યારે પૂછવામાં આવ્યું કે બ્રાન્ડેડ ખાદ્ય તેલો તેમના ભાવમાં ક્યારે સુધારો કરશે, ત્યારે સચિવે કહ્યું, મેં તેલ ઉદ્યોગ સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે તેઓ તેલના ભાવમાં વધુ સુધારો કરી રહ્યા છે. SEA એ તેના વિતરકો, છૂટક વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓને આગળ વધવાની સલાહ આપી છે. જૂના સ્ટોક પર પણ આયાત ડ્યૂટી ઘટાડવાનો ફાયદો ગ્રાહકોને મળશે.

એક સરકારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી વિલ્મર અને રુચિ ઈન્ડસ્ટ્રીઝ સહિતની મોટી ખાદ્ય તેલ કંપનીઓએ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને રાહત આપવા માટે જથ્થાબંધ ભાવમાં 4-7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. અન્ય કંપનીઓ કે જેમણે ખાદ્ય તેલના જથ્થાબંધ ભાવમાં ઘટાડો કર્યો છે તેમાં જેમિની એડિબલ્સ એન્ડ ફેટ્સ ઈન્ડિયા, હૈદરાબાદ, મોદી નેચરલ્સ, દિલ્હી, ગોકુલ રી-ફોઈલ એન્ડ સોલવન્ટ, વિજય સોલ્વેક્સ, ગોકુલ એગ્રો રિસોર્સિસ અને એનકે પ્રોટીન્સનો સમાવેશ થાય છે.

આવતા અઠવાડિયે સ્ટોક લિમિટની સમીક્ષા કરવામાં આવશે

સેક્રેટરીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ખાદ્ય તેલના ભાવ છેલ્લા દસ દિવસમાં ઊંચા સ્તરે રહ્યા છે, પરંતુ અન્ય પગલાં જેમ કે આયાત ડ્યૂટીમાં ઘટાડો અને સંગ્રહખોરીને રોકવા માટે સ્ટોક મર્યાદા લાદવાથી સ્થાનિક ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળશે. પાંડેએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના દરમાં ઘટાડાથી સ્થાનિક ખાદ્યતેલના ભાવો પર પણ મોટી અસર પડશે કારણ કે વિતરણ ખર્ચમાં ઘટાડો થશે.

હાલમાં, ઉત્તર પ્રદેશ સરકારે કિંમતોને અંકુશમાં લેવા માટે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ પર 25 ટન સુધીની સ્ટોક મર્યાદા નક્કી કરી છે. વધુ ત્રણ રાજ્યો સ્ટોક લિમિટ લાગુ કરવાના અંતિમ તબક્કામાં છે. સચિવે કહ્યું કે કેન્દ્ર આવતા અઠવાડિયે રાજ્ય સરકારો સાથે સ્ટોક લિમિટની સ્થિતિની સમીક્ષા કરશે.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં NSA સ્તરનું પ્રાદેશિક સંમેલન યોજાશે, રશિયા-ઈરાન સહિત અનેક દેશો થશે સામેલ

આ પણ વાંચો: PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, આ તારીખથી ખાતામાં આવશે કિસાન સન્માન નિધિના 10 માં હપ્તાના 2,000 રૂપિયા

Published On - 8:13 pm, Fri, 5 November 21

Next Article