સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ

|

Sep 19, 2021 | 9:05 AM

આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ 31 માં દિવસે કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી. શનિવારે જારી કરાયેલા નવા આદેશમાં મંત્રાલયે કહ્યું કે ધારો કે શરઆત  20 સપ્ટેમ્બરથી કરાય છે તો ભાડાની મર્યાદા 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

સમાચાર સાંભળો
સરકારે એરલાઇન કંપનીઓને આપી રાહત, 15 દિવસનું ભાડું નક્કી કરવા માટે અપાઈ છૂટ
Symbolic Image

Follow us on

દેશમાં કોવિડ -19 રોગચાળા(Covid-19 Pandemic)નો પ્રકોપ ઓછો થતા સરકારે એરલાઇન્સને રાહત આપી છે. મુસાફરોની ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવાઈ ​​ભાડા(Air Fare) ની નીચલી અને ઉપલી મર્યાદા એક મહિનામાં માત્ર 15 દિવસ માટે લાગુ પડશે. મહિનાના કોઈપણ સમયે 15 દિવસ માટે લાગુ થશે અને એરલાઇન્સ 16 મા દિવસથી કોઇપણ મર્યાદા વગર ફી વસૂલવા માટે મુક્ત રહેશે.

આ વર્ષે 12 ઓગસ્ટથી અમલમાં આવેલી આ વ્યવસ્થા હાલમાં 30 દિવસ માટે હતી અને એરલાઇન્સ 31 માં દિવસે કોઇપણ મર્યાદા વગર ચાર્જ કરી રહી હતી. શનિવારે જારી કરાયેલા નવા આદેશમાં મંત્રાલયે કહ્યું કે ધારો કે શરઆત  20 સપ્ટેમ્બરથી કરાય છે તો ભાડાની મર્યાદા 4 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

ઇમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે
ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે જો બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરના રોજ બુકિંગ કરવામાં આવે છે તો ભાડાની મર્યાદા 5 ઓક્ટોબર સુધી લાગુ થશે અને 6 ઓક્ટોબર અથવા પછીની મુસાફરી માટે ભાડાની મર્યાદા લાગુ થશે નહીં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

25 મે, 2020 ના રોજ, દેશમાં રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન પછી ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા માટે ફ્લાઇટના સમયગાળાના આધારે ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ સ્થાનિક હવાઈ મુસાફરી મોંઘી થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભાડાની નીચલી અને ઉપલી મર્યાદા 9.83 થી વધારીને 12.82 ટકા કરી હતી.

ઇમરજન્સી હવાઈ મુસાફરી પર સબસિડી ચાલુ રહેશે કારણ કે 15 દિવસ અગાઉથી બુક કરેલી ટિકિટની મર્યાદા રહેશે. પરંતુ જો એક મહિના અગાઉથી ટિકિટ બુક કરવામાં આવે તો તેના પર ભાડાની કોઈ મર્યાદા રહેશે નહીં. આનો અર્થ એ થયો કે એરલાઇન્સ પોતાના પ્રમાણે ભાડું લેશે. આ વખતે ભાડું પહેલેથી જ 4 વખત વધારી દેવામાં આવ્યું છે.

હવે ભાડું કેટલું છે?
40 મિનિટથી ઓછા સમયગાળાની ફ્લાઇટ્સ માટે ન્યૂનતમ ભાડું રૂ. 2,900 અને મહત્તમ રૂ .8,800 છે. 180 થી 210 મિનિટની ફ્લાઇટ અવધિ માટે લઘુતમ ભાડું 9,800 રૂપિયા અને મહત્તમ 27,200 રૂપિયા છે. જો 15 દિવસ અગાઉથી ટિકિટ બુક કરવામાં આવે તો આ ભાડાની મર્યાદા લાગુ થશે.

સરકારે કોરોનાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક ફ્લાઇટ્સમાં ક્ષમતા ઘટાડીને 33 ટકા કરી હતી. બાદમાં તેને વધારીને 45 ટકા કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 85 ટકા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Ration Card : હવે રેશનકાર્ડ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન મળશે, જાણો પ્રક્રિયા

 

આ પણ વાંચો :  Multibagger Stock: આ શેરે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના બનાવ્યા 10 કરોડ, શું છે તમારી પાસે છે?

Next Article