
સરકારની નાની બચત યોજનાઓ સુરક્ષિત રોકાણ, નક્કી કરેલા વળતર અને સરકારી ગેરંટીના કારણે રોકાણકારોમાં લોકપ્રિય છે. આમાંથી ઘણી યોજનાઓમાં રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. જો કે, તમામ યોજનાઓ આ સુવિધાના દાયરામાં આવતી નથી.
સરકાર હાલમાં પીપીએફ (PPF), રાષ્ટ્રીય બચત પત્ર (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, કિસાન વિકાસ પત્ર, પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) અને બીજી નાની બચત યોજનાઓ ચલાવે છે. એવામાં રોકાણ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, કઈ યોજના પર ટેક્સ છૂટ મળશે અને કઈ યોજના પર નહીં?
આ યોજનાઓમાં કરવામાં આવેલું રોકાણ આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ માટે પાત્ર છે:
આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરવા પર કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળતો નથી:
રિપોર્ટ અનુસાર, આ યોજનાઓમાં સરકારી સુરક્ષા અને આકર્ષક વ્યાજ મળે છે પરંતુ રોકાણની રકમ પર કલમ 80C હેઠળ કપાત (Deduction) નો દાવો કરી શકાતો નથી.
સેક્શન 80C હેઠળ કરદાતા પોતાની કુલ ટેક્સેબલ આવકમાંથી મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે. આ કપાત કરપાત્ર આવકમાંથી કરવામાં આવે છે, ટેક્સની રકમમાંથી નહીં. આ મર્યાદા તમામ પાત્ર રોકાણ અને ચૂકવણીને મળીને કુલ 1.5 લાખ રૂપિયા સુધી જ લાગુ થાય છે.
રિપોર્ટ અનુસાર, કલમ 80Cનો લાભ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime) પસંદ કરનારા કરદાતાઓને જ મળે છે. નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime) અપનાવનારા કરદાતાઓ આ છૂટ માટે પાત્ર નથી.