Suez Canal Blocked : 6 દિવસ બાદ મહામહેનતે બહાર કઢાયું મહાકાય ‘Ever Given’ કાર્ગો જહાજ

|

Mar 29, 2021 | 9:24 PM

Suez Canal Blocked : સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને કારણે સેંકડો જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.

Suez Canal Blocked : 6 દિવસ બાદ મહામહેનતે બહાર કઢાયું મહાકાય ‘Ever Given’ કાર્ગો જહાજ
6 દિવસ બાદ Ever Givenને બહાર કઢાયું

Follow us on

Suez Canal Blocked : આખરે 6 દિવસની મહામહેનતે ઈજીપ્તની સુએઝ કેનાલમાં ફસાયેલા વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય કાર્ગો જહાજ ‘Ever Given’ ને કારણે સેંકડો જહાજોનું પરિવહન અટકી પડ્યું હતું.

મહાકાય જહાજ પાછળ 6 દિવસની મહેનત
ઇજિપ્તની સુએઝ કેનાલમાં લગભગ છ દિવસથી ફસાયેલા ‘Ever Given’ નામના વિશાળ કાર્ગો શિપને બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ નહેર ઓથોરિટી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એજન્સીઓએ કહ્યું છે કે સોમવારે જહાજને ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.  જહાજોને ખેંચવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશેષ શક્તિશાળી બોટ, ઉંચી લહેરોની મદદથી રેતીમાં અટવાયેલું આ  મહાકાય જહાજ આખરે બહાર કાઢવામાં આવ્યું છે. સુએઝ નહેર ઓથોરિટી અને ડચ કંપની સ્મિટ સાલવેઝના કર્મચારીઓએ દિવસ અને રાત એક કરી દીધી હતી. સતત પાંચ દિવસ સુધી નહેરના કાંઠે જેસીબી જેવી મશીનો લગાવી માટી હટાવી હતી. સાથે જ ડ્રેજર દ્વારા શિપ નીચેથી માટી હટાવવામાં આવી. આ પાંચ દિવસોમાં લાખો ટન માટી દૂર કરવામાં આવી.

‘Ever Given’ જહાજના નુકસાનનું નિરક્ષણ કરાશે
કંપનીએ કહ્યું કે સોમવારે સાંજે જહાજને પાણીની સપાટી પર લાવવામાં સફળતા મળી છે. ટગબોટ્સ જહાજને ગ્રેટ બિટર લેક તરફ ખેંચી રહ્યા છે, જ્યાં તેનું નિરીક્ષણ કરવામાં આવશે. એશિયા અને યુરોપ વચ્ચે કાર્ગો વહન કરતું ‘Ever Given’ જહાજ સુએઝ શહેર નજીક અટવાઈ ગયું હતું, જેના કારણે અન્ય જહાજોનું પરિવહન અટવાયું હતું. વૈશ્વિક પરિવહન માટે આ જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મહાકાય કાર્ગો જહાજને બહાર કાઢવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા, જોકે હવે સફળતા પ્રાપ્ત થઈ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

350થી વધુ જહાજોનું પરિવહન અટવાયું હતું
આ સંકટને લીધે 350 થી વધુ જહાજો કેનાલમાંથી પસાર થવાની રાહ જોતા હતા. આ કેનાલનો વ્યવસાય રોજનો નવ અબજ ડોલરનો છે. વૈશ્વિક પરિવહન અને વેપારને વહાણના ભંગાણથી ભારે અસર થઈ છે. સુએઝ કેનાલ દ્વારા યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા સાથેનો ભારતનો વાર્ષિક વેપાર 200 અબજ ડોલરનો છે. સુએઝ કેનાલ ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્રને જોડે છે અને દરરોજ સરેરાશ 50 વહાણો તેમાંથી પસાર થાય છે. એવર ગિવનના ફસાવવાના કારણે નહેર ઓપરેટરોને દરરોજ 100 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

Next Article