Baba Ramdevની કંપની Ruchi Soya રૂપિયા 4300 કરોડ એકત્ર કરવા FPO લાવશે, ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં આવી શકે છે ઈશ્યુ

|

Feb 13, 2022 | 8:58 AM

કંપની ફોલો ઓન પબ્લિક ઈશ્યુ(follow on public issue) પર ફોલો લાવી શકે છે એટલે કે FPO (follow on public offer). આ FPO આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી શકે છે.

Baba Ramdevની કંપની Ruchi Soya રૂપિયા 4300 કરોડ એકત્ર કરવા FPO લાવશે, ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં આવી શકે છે ઈશ્યુ
Baba Ramdev

Follow us on

યોગ ગુરુ બાબા રામદેવ(Baba Ramdev)ની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ની માલિકીની ખાદ્ય તેલ કંપની રૂચી સોયા(Ruchi Soya) રૂ. 4300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની ફોલો ઓન પબ્લિક ઈશ્યુ(follow on public issue) પર ફોલો લાવી શકે છે એટલે કે FPO (follow on public offer). આ FPO આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પતંજલિએ વર્ષ 2019માં રૂચી સોયાનું અધિગ્રહણ કર્યું હતું. પતંજલિએ નાદારી પ્રક્રિયા હેઠળ રૂચી સોયાને રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં FPO લાવવા માટે સેબી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી

કંપનીને ગયા વર્ષે ઓગસ્ટમાં દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી તરફથી FPO લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીએ જૂન 2021માં આ સંબંધમાં માર્કેટ રેગ્યુલેટરને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

FPO માં લઘુત્તમ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ

રુચિ સોયા સેબીની લિસ્ટેડ કંપનીઓ માટે લઘુત્તમ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ નિયમને પહોંચી વળવા માટે આ FPO લાવી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ફેબ્રુઆરી 2022ના છેલ્લા સપ્તાહમાં FPO લાવવાની તૈયારી કરી રહી છે.

રૂચી સોયાનું વેલ્યુએશન રૂ 24,114 કરોડ

અત્યારે રૂચી સોયાનું વેલ્યુએશન 24,114 કરોડ રૂપિયા છે જ્યારે કંપનીએ એફપીઓ રજૂ કરવાની યોજના બનાવી ત્યારે તેનું મૂલ્યાંકન રૂ. 33,255 કરોડ હતું.

રુચિ સોયામાં 10 થી 15 ટકા હિસ્સો ઘટાડશે

સૂત્રો અનુસાર બાબા રામદેવ સોયામાં 10 થી 15 ટકાની વચ્ચેનો હિસ્સો ઘટાડશે. ફ્લોર પ્રાઇસ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. અમારું પહેલું લક્ષ્ય રુચી સોયાને દેવામાંથી બહાર કાઢવાનું છે. અમે રૂચી સોયા દ્વારા પ્રીમિયમ બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રૂચી સોયાની FPO ને મંજૂરી આપવામાં આવી છે. કંપની FPO મારફતે 4300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

 

આ પણ વાંચો : Adani Wilmar ના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા, પ્રોફિટ બુકીંગ કરવું કે રોકાણ જાળવી રાખવું? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

 

આ પણ વાંચો : Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

Next Article