ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે

|

May 19, 2023 | 6:24 AM

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા.

ભાગેડુ મેહુલ ચોક્સીને SEBIએ 5.35 કરોડનો દંડ ભરપાઈ કરવા નોટિસ મોકલી, ચૂકવણી નહીં થાય તો મિલકત જપ્ત કરવામાં આવશે

Follow us on

PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સી(Mehul Choksi) ફરી એકવાર ખબરોમાં છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ ગીતાંજલિ જેમ્સ લિમિટેડ(Gitanjali Gems Limited)ના શેરમાં છેતરપિંડીના કેસમાં ગુરૂવારે ભાગેડુ મેહુલને નોટિસ મોકલી છે જેમાં 5.35 કરોડ રૂપિયાની ચુકવણી કરવા સૂચના આપવામાં આવી છે. સેબીએ નોટિસમાં લખ્યું છે કે જો મેહુલ ચોક્સી 15 દિવસમાં આ રકમ જમા નહીં કરાવે તો ધરપકડની સાથે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ પણ ટાંચમાં લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે આ બીજીવાર કાર્યવાહીકરવામાં આવી છે. આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના મામલામાં સેબીએ મેહુલ ચોક્સીને નોટિસ મોકલી હતી.

કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

સેબીએ મેહુલ ચોક્સીને નવી નોટિસ મોકલી છે. જેમાં ભાગેડુ વેપારીને રૂ. 5.35 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 15 દિવસમાં જમા કરવા જણાવ્યું છે. આ રકમમાં મૂળ રકમની સાથે વ્યાજનો પણ સમાવેશ થાય છે. જો ચોક્સી સમયસર ચૂકવણી નહીં કરે તો તેની સામે મોટી કાર્યવાહી થઈ શકે છે. સેબીના જણાવ્યા અનુસાર પૈસા જમા ન કરાવવાના કિસ્સામાં જંગમ અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવશે. તેની હરાજી કરીને રકમ વસૂલ કરવામાં આવશે. તે જ સમયે, મેહુલ ચોકસીના બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવશે અને ધરપકડ પણ થઈ શકે છે.

અગાઉ પણ પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો

આ અગાઉ પણ ગીતાંજલિ જેમ્સને સેબીએ ઓક્ટોબર 2022માં ચોક્સી પર પાંચ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ચોક્સીને શેરબજારમાંથી 10 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તે પહેલા સેબીએ મે 2022માં ગીતાંજલિ જેમ્સના શેરમાં છેતરપિંડીના સમાન કેસમાં ચોક્સીને કારણ બતાવો નોટિસ પણ જારી કરી હતી.

વધારે નહીં દરરોજ ફક્ત 7 રૂપિયાનું રોકાણ કરો.. દર મહિને મળશે 5000 રૂપિયા
ચા સાથે ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓનું સેવન, થશે ગંભીર સમસ્યાઓ
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ પર ISIS હુમલાની ધમકી, સ્નાઈપર્સ 600 મીટરના અંતરથી ગોળી છોડવા રહેશે તૈનાત
Tea-Coffee : ખાંડની જગ્યાએ ચા-કોફીમાં નાખો આ 4 વસ્તુઓ, સ્વાદ અને સ્વાસ્થ્ય રહેશે સારુ
શું હાર્દિક અને નતાશા વચ્ચેનો અણબનાવ થયો પૂરો? અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યૂઝ
આજનું રાશિફળ તારીખ : 03-06-2024

PNB  કૌભાંડના મુખ્ય આરોપી

મેહુલ ચોક્સી ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને એમડી હતા. તેણે નીરવ મોદી સાથે મળીને PNB સાથે 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વર્ષ 2018માં સામે આવી હતી. આ પહેલા પણ મેહુલ ચોક્સી અને નીરવ મોદી બંને વિદેશ ભાગી ગયા હતા. મળતી માહિતી મુજબ ચોક્સી એન્ટીગુઆ અને બરબુડામાં હોવાનું કહેવાય છે તો બીજી તરફ નીરવ મોદી બ્રિટિશ જેલમાં દિવસો વિતાવી રહ્યો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:23 am, Fri, 19 May 23

Next Article