
શું તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા છો, પરંતુ મૂડીના અભાવે પગલાં પાછા ખેંચી રહ્યા છો? તો કેન્દ્ર સરકારની ‘વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમ’ (PMEGP) યોજના તમારા માટે લાઈફલાઈન સાબિત થઈ શકે છે. આ માત્ર લોન નથી, પરંતુ આત્મનિર્ભર બનવા માટેની એક સુવર્ણ તક છે, જેમાં સરકાર માત્ર પૈસા જ નથી આપતી પણ સબસિડીના નામે મોટું વળતર પણ આપે છે.
આ યોજનાની સૌથી મોટી ખાસિયત તેની સબસિડી છે. જો તમે બિઝનેસ શરૂ કરવા માટે લોન લો છો, તો તમારે પૂરેપૂરી રકમ પાછી નથી ભરવાની હોતી.
સરકારે આ યોજના હેઠળ બે ક્ષેત્રોમાં મહત્તમ મર્યાદા નક્કી કરી છે:
આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જો તમે 10 લાખથી મોટો પ્રોજેક્ટ કરવા માંગતા હોવ, તો ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ હોવું અનિવાર્ય છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ મદદ માત્ર નવા વ્યવસાય શરૂ કરવા માટે જ છે, જૂના બિઝનેસ માટે નહીં.
હવે લોન માટે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આ રીતે અરજી કરી શકો છો:
હસ્તશિલ્પ, ફૂડ પ્રોસેસિંગ કે ફર્નિચર બનાવવાની ફેક્ટરી જેવા અનેક કામો માટે આ યોજના વરદાન સમાન છે. હવે સવાલ એ છે કે, શું તમે આ તકનો લાભ લઈને તમારા સપના સાચા કરવા તૈયાર છો?
Published On - 7:18 pm, Sun, 12 April 26