શું તમારી પાસે એકથી વધુ PAN CARD છે? તમારે દંડ અથવા કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે

|

May 06, 2023 | 1:04 PM

PAN કાર્ડ એ ઓળખનો પુરાવો છે અને બેંક ખાતું ખોલવા, લોન અરજી અને આવકવેરા ફાઇલિંગ જેવા નાણાકીય વ્યવહારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PAN કાર્ડ ધારક વિશે ઘણી બધી માહિતી ધરાવે છે જેમાં તેમનું નામ, ફોટોગ્રાફ, જન્મ તારીખ અને PAN નંબરનો સમાવેશ થાય છે.

શું તમારી પાસે એકથી વધુ PAN CARD છે? તમારે દંડ અથવા કડક કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે

Follow us on

જો તમે PAN કાર્ડનો ઉપયોગ કરો છો અને PAN CARD ક્યાંક ખોવાઈ ગયું છે. આવી સ્થિતિમાં જો તમે બીજું પાન કાર્ડ બનાવ્યું છે તો તમારા માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે જો તમે તમારા ખોવાયેલા પાન કાર્ડ વિશે આવકવેરા વિભાગને જાણ ન કરો તો તમારો પાન નંબર સક્રિય રહે છે અને બીજું પાન કાર્ડ પણ સક્રિય રહે છે. આ કિસ્સામાં તમારી પાસે બે પાન કાર્ડ છે.  બે પાન કાર્ડ કાયદેસર રીતે રાખવા અપરાધની શ્રેણીમાં આવે છે તેથી તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. PAN અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર એ વ્યક્તિઓ, કંપનીઓ અને અન્ય સંસ્થાઓને આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ એક યુનિક દસ અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર  છે.

PAN કાર્ડ એ ઓળખનો પુરાવો છે અને બેંક ખાતું ખોલવા, લોન અરજી અને આવકવેરા ફાઇલિંગ જેવા નાણાકીય વ્યવહારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. PAN કાર્ડ ધારક વિશે ઘણી બધી માહિતી ધરાવે છે જેમાં તેમનું નામ, ફોટોગ્રાફ, જન્મ તારીખ અને PAN નંબરનો સમાવેશ થાય છે.

એક થી વધુ પાન કાર્ડ રાખવા ગેરકાયદેસર છે

આવકવેરા વિભાગના નિયમો અનુસાર, એક વ્યક્તિ પાસે એકથી વધુ પાન કાર્ડ ન હોઈ શકે. દરેક વ્યક્તિને તેના નામે માત્ર એક જ પાન કાર્ડ જારી કરવાની છૂટ છે, જે તેના માટે અનન્ય છે. જો તમારી પાસે એક કરતાં વધુ પાન કાર્ડ છે, તો દંડ અને કાયદાકીય પરિણામો આવશે કારણ કે તે આવકવેરા કાયદાનું ઉલ્લંઘન માનવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક 5 રાજવી પરિવારો ક્યા છે? આ પરિવારો પાસે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ અનેક ગણી વધારે સંપત્તિ છે

 પેનલ્ટી પણ લાગી શકે છે

જો કોઈ વ્યક્તિ પાસે એક કરતા વધુ પાન કાર્ડ છે, તો IT વિભાગ તેમની સામે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 272B હેઠળ કાર્યવાહી શરૂ કરી શકે છે. આ કાયદા હેઠળ વ્યક્તિને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article