Suez Canal માંથી પસાર થવા માલવાહક જહાજોએ વધુ કિંમત ચૂકવવી પડશે, ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકાનો વધારો કરાયો

|

Mar 02, 2022 | 8:38 AM

વિશ્વના 7 ટકા તેલ સહિત વૈશ્વિક વેપારનો લગભગ 10 ટકા હિસ્સો સુએઝ કેનાલમાંથી પસાર થાય છે, જે ભૂમધ્ય અને લાલ સમુદ્રને જોડે છે. ઇજિપ્તની નહેર સૌપ્રથમ 1869 માં ખોલવામાં આવી હતી તે રાષ્ટ્રીય ગૌરવ અને વિદેશી હૂંડિયામણ બંનેનો સ્ત્રોત છે.

Suez Canal માંથી પસાર થવા માલવાહક જહાજોએ વધુ કિંમત ચૂકવવી પડશે,  ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકાનો વધારો કરાયો
Egypt raises Suez Canal’s transit fees by 10%

Follow us on

સુએઝ કેનાલ દ્વારા માલસામાનની અવરજવર હવે વધુ મોંઘી બનશે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકીના એક સુએઝ કેનાલ(Suez Canal) માંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સુએઝ કેનાલ ઓથોરિટી(Suez Canal Authority)એ કેનાલ સેવાઓના વિકાસ અને સુધારણાને ટાંકીને જણાવ્યું હતું કે ટેરિફમાં વધારો વૈશ્વિક વેપારમાં થયેલા નોંધપાત્ર વધારાને અનુરૂપ છે. સુએઝ કેનાલમાંથી દર વર્ષે હજારો જહાજો પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે વિશ્વનો 10% વેપાર અહીંથી થાય છે. ખાસ કરીને તેલ પરિવહન માટેઆ એક મહત્વપૂર્ણ માર્ગ છે. સુએઝ કેનાલનો આ માર્ગ ભૂમધ્ય સમુદ્રને લાલ સમુદ્ર સાથે જોડે છે. એક રીતે તે એશિયા અને યુરોપ વચ્ચેની સમુદ્રી લિંક છે.

નિવેદન અનુસાર લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, કેમિકલ ટેન્કર અને અન્ય લિક્વિડ બલ્ક ટેન્કરો માટેના ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકાનો વધારો કરવામાં આવશે. સમાન વાહનો, કુદરતી ગેસ, સામાન્ય કાર્ગો અને મલ્ટીપલ યુઝ જહાજોનું વહન કરતા જહાજો માટેના ટ્રાન્ઝિટ ચાર્જમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેલ અને અન્ય ટેન્કરો અને ડ્રાય કાર્ગો જહાજો માટેના પરિવહન ચાર્જમાં 5 ટકાનો વધારો કરવામાં આવશે.

સુએઝ કેનાલને પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે

નહેરના અધિકારીઓ જળમાર્ગના દક્ષિણ ભાગને પહોળો અને ઊંડો કરવા માટે કામ કરી રહ્યા છે જ્યાં એક હોકિંગ જહાજે માર્ચ 2021માં નહેર બંધ કરી દીધી હતી. વૈશ્વિક શિપિંગમાં થતા ફેરફારોના આધારે વધારાને સુધારી અથવા પરત ખેંચી શકવામાંઆવી શકે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિશ્વના 7 ટકા તેલ સહિત વૈશ્વિક વેપારનો લગભગ 10 ટકા હિસ્સો સુએઝ કેનાલમાંથી પસાર થાય છે, જે ભૂમધ્ય અને લાલ સમુદ્રને જોડે છે. ઇજિપ્તની નહેર સૌપ્રથમ 1869 માં ખોલવામાં આવી હતી તે રાષ્ટ્રીય ગૌરવ અને વિદેશી હૂંડિયામણ બંનેનો સ્ત્રોત છે.

ગયા વર્ષે, 20,649 જહાજો નહેરમાંથી પસાર થયા હતા

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે નહેરમાંથી 20,649 જહાજો પસાર થયા હતા. જે 2020 માં 18,830 થી 10 ટકા વધારે છે. નહેરની વાર્ષિક આવક 2021 માં 6.3 બિલિયન ડોલર સુધી પહોંચી હતી જે તેના ઇતિહાસમાં સૌથી વધુ છે.

સુએઝ કેનાલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગયા મહિને 1,713 જહાજો જળમાર્ગમાંથી પસાર થયા હતા જેનાથી 545 મિલિયનની આવક થઈ હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 1,532 જહાજો નહેરમાંથી પસાર થયા હતા જેનાથી 474 મિલિયન ડોલર મળ્યા હતા. શિપિંગ ઉદ્યોગ હજી પણ મહામારીના દબાણ હેઠળ છે અને યુક્રેન પર રશિયાનું યુદ્ધ વૈશ્વિક આર્થિક ચિંતાઓ વધારશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડ 104 ડોલરની સપાટીએ પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : શેરબજારમાં ઉતાર – ચઢાવ છતાં નવા રોકાણકારોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, 3 મહિનામાં 1 કરોડ નવા Demat Account ખુલ્યા

Published On - 8:37 am, Wed, 2 March 22

Next Article