મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 2 ભાગમાં વહેંચી ; ઓઇલ-કેમિકલ્સના વ્યવસાય માટે બનાવવામાં આવી Reliance O2C Ltd.

|

Apr 03, 2021 | 10:10 AM

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી( Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) શુક્રવારે જણાવ્યું હતું કે તેના ઓઇલ-કેમિકલ (Oil to Chemical) વ્યવસાયને એક અલગ યુનિટ બનાવવા માટે શેરહોલ્ડરો અને કર્જદાતાઓ પાસેથી મંજૂરી મળી છે.

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 2 ભાગમાં વહેંચી ; ઓઇલ-કેમિકલ્સના વ્યવસાય માટે બનાવવામાં આવી  Reliance O2C Ltd.
મુકેશ અંબાણી - ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

Follow us on

દેશના દિગ્ગ્જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી( Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) શુક્રવારે જણાવ્યું હતું કે તેના ઓઇલ-કેમિકલ (Oil to Chemical) વ્યવસાયને એક અલગ યુનિટ  બનાવવા માટે શેરહોલ્ડરો અને કર્જદાતાઓ પાસેથી મંજૂરી મળી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની સૂચના મુજબ કંપનીએ O 2 C વ્યવસાયને અલગ પેટા કંપની – રિલાયન્સ O 2 C લિમિટેડમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે શેરહોલ્ડરો અને તમામ કર્જદાતાઓની બેઠક બોલાવી હતી.

શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે મીટિંગમાં સામેલ 99.99 ટકા શેરહોલ્ડરોએ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો. શેર હોલ્ડરો વિડિઓ કોન્ફરન્સ દ્વારા બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) બી.એન.શ્રીકૃષ્ણએ કરી હતી. RIL દ્વારા ફેબ્રુઆરીમાં ઓઇલ રિફાઇનિંગ, ફ્યુઅલ માર્કેટિંગ અને પેટ્રોકેમિકલ્સ (O 2 C) વ્યવસાયને મૂળ યુનિટના 25 અબજ ડોલરની સ્વતંત્ર સંસ્થા બનાવવાની જાહેરાત કરી હતી. કંપની સાઉદી અરામકો જેવા વૈશ્વિક રોકાણકારોને હિસ્સો વેચીને આ ધંધાનું મૂલ્ય સામે લાવવા માંગે છે.

રોકાણકારોને આકર્ષવામાં સરળતા રહેશે
અગાઉ કંપનીએ આપેલી માહિતી અનુસાર રિલાયન્સ ઓ 2 સી લિમિટેડને અલગ કરવાથી કંપની તેલમાંથી કેમિકલ્સ ક્ષેત્રની સંપૂર્ણ વેલ્યુ ચેઇન પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે સાથોસાથ રોકાણકારોની મૂડીને એક અલગ ટકાઉ મૂડી માળખું અને મેનેજમેન્ટ ટીમ સાથે આકર્ષિત કરશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગુજરાતની બે રિફાઇનરીઓ નવી કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે
ગુજરાતના જામનગરમાં બે રિફાઇનરીઓ વિવિધ રાજ્યોમાં પેટ્રોકેમિકલ કેન્દ્રો અને છૂટક બળતણ વ્યવસાયમાં 51 ટકા હિસ્સો ઓ 2 સી યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તે જરૂરી મંજૂરીઓ પર આધારીત છે જે સપ્ટેમ્બર સુધીમાં પ્રાપ્ત થવાની અપેક્ષા છે. એકવાર આ પૂર્ણ થઈ ગયા પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથના તેલ અને ગેસ સંશોધન અને ઉત્પાદન વેપાર, નાણાકીય સેવાઓ, ટ્રેઝરી અને કાપડના વ્યવસાયનો સમાવેશ કરશે અને જૂથની હોલ્ડિંગ કંપની તરીકે કામ કરશે.

Next Article