LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન

|

Aug 12, 2023 | 5:37 PM

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, LIC રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે.

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતીનું મોટું નિવેદન, અદાણી ગ્રુપમાં રોકાણ કરવાથી નથી થયું કોઈ નુકસાન
Gautam Adani - LIC

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) હાલમાં દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સંસદથી લઈને રોકાણકારો સુધી દરેક જગ્યાએ LICની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન અદાણીના રોકાણ પર LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે પહેલા તો સંસદમાં PM નરેન્દ્ર મોદીનો LIC પર વિશ્વાસ કરવા બદલ આભાર માન્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી.

LICની જવાબદારીમાં વધારો થયો

LIC ચીફ સિદ્ધાર્થ મોહંતી કહ્યું કે, LIC રોકાણકારોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારથી પીએમ મોદીએ સંસદમાં LICની પ્રશંસા કરી છે, ત્યારથી રોકાણકારો, પોલિસી હોલ્ડર્સ અને શેર હોલ્ડર્સ પ્રત્યે તેની જવાબદારીમાં વધારો થયો છે.

અદાણીમાં રોકાણ કરવાથી કોઈ નુકસાન થયું નથી

એલઆઈસીના ચીફ સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે, અમે કોઈ એક કંપની વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ અદાણીની કંપનીમાં રોકાણ કરીને LIC ને કોઈ નુકસાન થયું નથી. અમે નીતિઓ અને પ્રોટોકોલ મુજબ અદાણીમાં રોકાણ કર્યું છે. કંપનીના શેરના ભાવ નીચા હતા, ત્યારે અમે રોકાણ કર્યું અને જેમ જેમ ભાવ વધવા લાગ્યા, અમને રોકાણનો લાભ મળ્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Onion Price: સરકાર વેચશે ઓનલાઈન સસ્તી ડુંગળી, ભાવ નિયંત્રણમાં લેવા માટે લીધો નિર્ણય

LIC માં 13 લાખ વીમા એજન્ટ કાર્યરત

આંતરિક પ્રોટોકોલ અને નિયમનને ધ્યાનમાં રાખીને અદાણીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેના 13 લાખ વીમા એજન્ટ કાર્યરત છે. તેમણે કહ્યું કે એજન્ટની સંખ્યા હજુ વધારવાની જરૂરિયાત છે જેથી દેશમાં કવરેજ વધારી શકાય અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકાય.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article