
સાઉથ મુંબઈમાં આવેલુ મલબાર હિલ, આલિશાન બંગલોઝ, સમુદ્રના કિનારે ફેલાયેલી શાંતિ અને દેશના મોટા-મોટા ઉદ્યોગપતિઓની લાઈફસ્ટાઈલની ઝલક મળે છે. જિંદલ, ગોદરેજ, રૂઈયા જેવા નામોની વચ્ચે એક જુનુ શાંત સાક્ષી બનીને ઉભુ છે જિન્હા હાઉસ. જિન્હા હાઉસ એ માત્ર એક બંગલો નથી. આ એ જગ્યા છે જ્યાં 79 વર્ષ પહેલા એક દેશના બે ટૂકડા કરવાની પટકથા લખવામાં આવી. તેનુ મૂળ નામ તો હતુ ‘સાઉથ કોર્ટ’ જો કે ઈતિહાસમાં તે ‘જિન્હા હાઉસ’ ના નામથી જાણીતુ બની ગયુ. હવે આ બંગલાને નવો બનાવવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા તેની આખરી મજૂરીની રાહ જોવાઈ છે. મંજૂરી મળતા જ જિન્હાના બંગલાના રિનોવેશનનું કામ શરૂ થઈ જશે. MEA આ બંગલાને હવે એક રાજનાયિક સ્થાન બનાવવા માગે છે. જ્યાં MEAના અધિકારીઓ રહેશે અને કામ કરશે. મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (MHCC) એ ઓગસ્ટ 2023માં આ ઈમરાતને ઠીક કરવાની પરવાનગી આપી દીધી હતી. આ ઈમારત ગ્રેડ-2 હેરિટેજ સાઈટ છે. એ પહેલા જાણીએ કે જિન્હા હાઉસનો ઈતિહાસ શું...
Published On - 8:35 pm, Wed, 3 December 25