નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, GDP માં પણ થશે સારો સુધાર

|

Jan 20, 2022 | 8:50 PM

સુનિલ કુમાર સિન્હા, ચીફ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ, ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેન્ક અર્થતંત્રના વિકાસને ટેકો આપશે. તેમણે કહ્યું કે સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી.

નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય અર્થતંત્ર 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે, GDP માં પણ થશે સારો સુધાર
Indian economy will grow at the rate of 7.6 percent in 2022-23

Follow us on

ભારતીય અર્થતંત્ર (Indian Economy) આગામી નાણાકીય વર્ષ 2022-23માં 7.6 ટકાના દરે વૃદ્ધિ પામશે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે આ અનુમાન લગાવ્યું છે. એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે લગભગ બે વર્ષના અંતરાલ પછી દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) માં અર્થપૂર્ણ વિસ્તરણ થશે. 2022-23માં વાસ્તવિક જીડીપી 2019-20 (કોવિડ પહેલાનું સ્તર) કરતાં 9.1 ટકા વધુ રહેવાનો અંદાજ છે. ઈન્ડિયા રેટિંગ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ આગામી નાણાકીય વર્ષમાં જીડીપીના વલણ મૂલ્ય કરતાં 10.2 ટકા ઓછું હશે. આ અછત માટે મુખ્ય ફાળો ખાનગી વપરાશ અને રોકાણની માંગમાં ઘટાડો હશે. ખાનગી વપરાશનો હિસ્સો 43.4 ટકા અને રોકાણની માગનો હિસ્સો કુલ ઘટાડાનો 21 ટકા રહેશે.

સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી

આ મહિનાની શરૂઆતમાં, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) એ જીડીપી પર તેના પ્રથમ એડવાન્સ અંદાજમાં કહ્યું હતું કે 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 9.2 ટકા રહેશે. જેના કારણે ગત નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સુનિલ કુમાર સિન્હા, ચીફ ઇકોનોમિસ્ટ અને ડાયરેક્ટર પબ્લિક ફાઇનાન્સ, ઇન્ડિયા રેટિંગ્સે જણાવ્યું હતું કે સરકાર અને રિઝર્વ બેન્ક અર્થતંત્રના વિકાસને ટેકો આપશે.

તેમણે કહ્યું કે સરકાર રાજકોષીય એકત્રીકરણ માટે ઉતાવળમાં નથી. આનો અર્થ એ થયો કે 2022-23માં પણ રાજકોષીય ખાધ ઊંચી રહેશે. આ વૃદ્ધિને ટેકો આપશે. એજન્સીનો અંદાજ છે કે 2022-23માં રાજકોષીય ખાધ 5.8 ટકાથી છ ટકાની વચ્ચે રહેશે. સિન્હાએ જણાવ્યું હતું કે ફુગાવો હાલમાં ઉપર તરફના વલણ પર છે અને અર્થતંત્રનું પુનર્જીવન સુસ્ત છે. આ સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં, મધ્યસ્થ બેંક પોલિસી રેટ વધારવાનું ટાળશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

ભારતની તરફેણમાં આર્થિક ગતિ

ડેલોઈટના સીઈઓ પુનીત રંજને કહ્યું કે આર્થિક ગતિ ભારતની તરફેણમાં છે. રંજને PTI ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2022માં ભારત સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર હશે અને તેનો વિકાસ દર 8 થી 9 ટકાની વચ્ચે રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, આ સદી ભારતના નામે રહેવાની છે. તેમણે કોરોના વાયરસથી તાત્કાલિક છૂટકારો મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અને કહ્યું કે, મહામારી આર્થિક વિકાસના મામલે અવરોધ છે.

 

આ પણ વાંચો : 12,500ના પેમેન્ટ પર RBI આપી રહી છે 4,62,00,000 રૂપિયા, જો તમને પણ ઈ-મેઈલ મળ્યો હોય તો થઈ જાઓ સાવધાન

Next Article