ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે : FM નિર્મળા નિર્મલા સિતારમણ

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર(India will become a developed country) તરીકે ઉભરી આવવાની આશા છે. જે ભૂતકાળની ખોવાયેલી તકો અને વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પ્રયાસ કરશે. બીજા વિશ્વયુદ્ધમાં તબાહી બાદ જાપાનની અર્થવ્યવસ્થાએ હાંસલ કરેલી સિદ્ધિ અન્ય દેશો માટે પ્રેરણારૂપ બની છે.

ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે : FM નિર્મળા નિર્મલા સિતારમણ
| Edited By: | Updated on: May 12, 2023 | 7:38 AM

નાણાપ્રધાન નિર્મળાનિર્મલા સિતારમણ(Finance Minister Nirmala Sitharaman)એ  જાપાનની મુલાકાત દરમિયાન બિઝનેસ લીડર્સને જણાવ્યું હતું કે આગામી 25 વર્ષમાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ(Infrastructure development) અને રોકાણ સરકારના મુખ્ય ફોકસ ક્ષેત્રો હશે કારણ કે દેશ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર(India will become a developed country) તરીકે ઉભરી આવવાની આશા રાખે છે. તેની તરફેણમાં છે જે ભૂતકાળની ખોવાયેલી તકો અને વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. બીજા વિશ્વયુદ્ધમાં તબાહી બાદ જાપાનની અર્થવ્યવસ્થાએ હાંસલ કરેલી સિદ્ધિ અન્ય દેશો માટે પ્રેરણારૂપ બની છે. સીતારમણ હાલમાં ફાયનાન્સ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠકમાં ભાગ લેવા માટે ગુરુવારથી જાપાનની બે દિવસની મુલાકાતે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિઝિકલ અને ડિજિટલ બંને સ્થાનિક અને વિદેશી રોકાણ લોકોના જીવનમાં નવીનતા અને ટેકનોલોજીનો ઉપયોગ અને ખાતરી કરવી કે દરેક નાગરિકને વિકાસનો લાભ મળે તે ભારત માટે ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રો છે. ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :Go First Cancelled Flights: GoFirst ની તમામ ફ્લાઈટ્સ 19 મે સુધી રદ કરવામાં આવી, રિફંડ અંગે એરલાઈને કહી આ વાત

સરકાર પ્રતિબંધો ઘટાડી રહી છે

નિર્મલા સીતારમણે જાપાનના રોકાણકારો અને વેપારી નેતાઓને જણાવ્યું હતું કે ભારતમાં સરકાર ઘણા નિયંત્રણો ઘટાડી રહી છે અને વેપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરી રહી છે. તેઓએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ દ્વારા વ્યવસાયો દ્વારા રોકાણને પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવા માટેની સરકારની પ્રાથમિકતા અંગે ચર્ચા કરી જે શરૂઆતમાં 14 ક્ષેત્રો માટે રજૂ કરવામાં આવી હતી અને હવે સેમી-કન્ડક્ટર અને સૌર ઘટકો સુધી વિસ્તરણ કરવામાં આવી છે.

આ પણ વાંચો :અદાણી ગ્રુપ માટે આવ્યા GOOD NEWS, વિદેશની આ 3 બેંક લોન આપવા તૈયાર

300 ગીગાવોટ સૌર ઉર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક

આ ઉપરાંત, નાણામંત્રીએ કહ્યું કે દેશ પોતાના ભંડોળથી 175 ગીગાવોટ સૌર ઉર્જા પ્રાપ્ત કરી ચૂક્યો છે, અને હવે 2030 સુધીમાં 300 ગીગાવોટ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે, ભારતે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન શરૂ કર્યું છે. સરકાર લોકોને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઝડપથી વિકાસશીલ ક્ષેત્રમાં કુશળ બનાવી રહી છે, જેથી લોકોને રોજગારી મળી શકે તેવું આયોજન છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:15 am, Fri, 12 May 23