
આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં 20 માર્ચ સુધી 2.26 કરોડ કરદાતાઓને (Taxpayers) 1.93 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ (Tax Refund) જાહેર કર્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આમાંથી 38,447.27 કરોડ રૂપિયાના 1.85 કરોડ રિફંડ મૂલ્યાંકન વર્ષ 2021-22 (માર્ચ, 2022માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ) માટે છે. આવકવેરા વિભાગે ગુરુવારે એક ટ્વિટમાં લખ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 થી 20 માર્ચ, 2022 દરમિયાન 2.26 કરોડ કરદાતાઓને 1,93,720 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે.
આમાં 70,977 કરોડ રૂપિયાના વ્યક્તિગત આવકવેરા રિફંડ અને 1,22,744 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ રિફંડનો સમાવેશ થાય છે. જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે તમારું ઈન્કમ ટેક્સ રિફંડ આવ્યું છે કે નહીં. તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. ચાલો તેની પ્રક્રિયાને વિગતવાર જાણીએ.
તમે અહીં આવકવેરા રિફંડની સ્થિતિ ચકાસી શકો છો:
આવકવેરા રિફંડને ટ્રેક કરવાની બીજી રીત NSDL વેબસાઇટ પર તેનું સ્ટેટ્સ ચેક કરવું છે. ધ્યાનમાં રાખો કે વેબસાઇટ પર, ટેક્સપેયર અસેસિંગ ઓફીસર દ્વારા રિફંડ બેંકરને રિફંડ મોકલ્યા બાદ 10 દિવસ પછી જ રીફંડનુ સ્ટેટ્સ જોઈ શકાય છે.
આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા