EPFO દ્વારા પીએફ ખાતાધારકો (PF Account Holder)ને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. આ લાભો પેન્શન (Pension)થી લઈને વીમા (Insurance)સુધીની છે. આવો જ એક લાભ નિવૃત્તિ બોનસ છે, જેને મેળવવા માટે થોડી કાળજીની જરૂર છે. આ સાથે તમે નિવૃત્તિ સમયે EPFO તરફથી 50,000 રૂપિયા સુધીનું વધારાનું બોનસ (Retirement Bonus) મેળવી શકો છો.
EPFO આ બોનસ PF ખાતાધારકોને લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ (Loyalty-cum-Life Benefit) હેઠળ આપે છે. તેનો લાભ એવા પીએફ ખાતા ધારકોને મળે છે, જેમણે નિવૃત્તિ પહેલા ઓછામાં ઓછા 20 વર્ષ સુધી પીએફ ખાતામાં જમા કરાવ્યું હોય. EPFOએ થોડા સમય પહેલા કરવામાં આવેલા ફેરફારમાં આવા ખાતાધારકોને બોનસ આપવાનો નિર્ણય લીધો હતો.
આ લાભ 20 વર્ષની શરત પૂરી કરનાર દરેક PF ખાતાધારકને મળે છે. આમાંથી જેમનો સરેરાશ બેઝિક પગાર પાંચ હજાર રૂપિયા સુધી છે, તેમને નિવૃત્તિ પર 30 હજાર રૂપિયાનું બોનસ મળે છે. તેવી જ રીતે 5,001થી 10 હજાર રૂપિયાની બેઝિક સેલેરી ધરાવતા લોકોને નિવૃત્તિ પર 40 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે. જેમનો મૂળ પગાર 10 હજાર રૂપિયાથી વધુ છે, તેમને EPFO દ્વારા 50 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે.
જો PF એકાઉન્ટ ધારક 20 વર્ષ પૂરા કરતા પહેલા કાયમી ધોરણે અક્ષમ થઈ જાય છે તો આ સ્થિતિમાં પણ EPFO દ્વારા લોયલ્ટી-કમ-લાઈફ બેનિફિટ હેઠળ બોનસ ચૂકવવામાં આવશે. આ કિસ્સામાં પણ લાભ આપવામાં આવે છે. બોનસનો લાભ મૂળભૂત પગારના આધારે નક્કી કરવામાં આવે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ પણ એ જ રીતે PF ખાતાધારકના અકાળે મૃત્યુના કિસ્સામાં ઓછામાં ઓછું રૂ. 2.5 લાખનું વીમા કવચ આપવાનું નક્કી કર્યું છે. (EDLI Cover)ઈડીએલઆઈ ઈન્સ્યોરન્સ કવર પણ હવે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ફેરફાર પહેલા લઘુત્તમ વીમા કવચની કોઈ જોગવાઈ ન હતી અને મહત્તમ કવર રૂ. 6 લાખ હતું.
આ પણ વાંચો: પેટ્રોલ, ડીઝલ કે CNG નહીં, નીતિન ગડકરીની નવી ગાડી ચાલે છે આ ઈંઘણથી, જાણો તેમાં શું છે ખાસ
આ પણ વાંચો: ઔષધીય છોડની ખેતી કરીને ખેડૂતો પોતાની કમાણી અનેકગણી વધારી શકે છે, સરકાર પણ કરી રહી છે મદદ