Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર

|

Aug 17, 2021 | 8:41 AM

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે.

સમાચાર સાંભળો
Good News for Taxpayers: હવે Income Tax પોર્ટલની સમસ્યાઓના હલ માટે નહિ કરવો પડે લાંબો સમય ઇંતેજાર
ITR FILING

Follow us on

Good News for Taxpayers: કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે એક નવી વેબસાઇટ બનાવી જેના દ્વારા સામાન્ય કરદાતા સરળતાથી જાતે ITR ફાઇલ કરી શકે. પરંતુ શરૂઆતથી જ ઇન્ફોસિસ દ્વારા બનાવવામાં આવેલી નવી વેબસાઇટ પર અનેક પ્રકારની સમસ્યાઓ આવતી રહી છે. દાવો કરવામાં આવે છે કે વેબસાઇટની ખામીઓ જલ્દી સુધારી દેવામાં આવી રહી છે પરંતુ હજુ સમસ્યાઓ ઠેરની ઠેર છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં કહ્યું હતું કે નવા ટેક્સ પોર્ટલની તકનીકી મુશ્કેલીઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં સુધારી દેવામાં આવશે. આ અગાઉ વેબસાઇટ નિર્માતા ઇન્ફોસિસે પણ દાવો કર્યો હતો કે તે વેબસાઇટની તમામ ખામીઓને સુધારવા માટે ઝડપથી કામ કરી રહી છે.

નવી આવકવેરા વેબસાઇટમાં સતત સમસ્યાઓ અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થશે. નંદન નિલેકણી પોતે આ સમસ્યા પર નજર રાખી રહ્યા છે. મોટાભાગની સમસ્યાઓ હલ થઈ ગઈ છે અને કેટલીક એવી સમસ્યા છે જે શક્ય તેટલી વહેલી તકે ઉકેલાઈ જશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મહેસૂલ સચિવ ટેક્સ પોર્ટલની ખામીઓ પર સતત નજર રાખી રહ્યા છે. હવે જૂના પોર્ટલ પર પાછા જઈ શકાય તેમ નથી કારણ કે તેનાથી ઘણી મૂંઝવણ થશે. નંદન નિલેકણી વેબસાઈટ પર ચાલી રહેલા કામ અંગે દર અઠવાડિયે અપડેટ મોકલે છે. જો ટેક્સ રિટર્નની સમયમર્યાદા લંબાવવામાં આવે તો તમને સૂચિત કરવામાં આવશે.

આર્થિક સુધારા અંગે નાણામંત્રીએ કહ્યું કે આગામી તહેવારોની સિઝનમાં આર્થિક મોરચે સારા સમાચાર આવશે. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ ચાલુ છે અને અમે ત્રીજી લહેરને રોકવામાં સક્ષમ રહીશું. રસીકરણની મદદથી લોકોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. આગામી તહેવારોની સીઝનમાં માંગ વધશે અને આર્થિક સુધારાને વેગ મળશે. ફુગાવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફુગાવાનો દર 2-6 ટકાની રેન્જમાં રહેશે તેવી સારી તક છે. રાજકોષીય પરિસ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે હાલમાં લોન લેતા પહેલા સરકારે કરેલી જાહેરાત મુજબ લોન લેવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો :  ALERT! જો તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો, તો સાવચેત રહેજો , નવી સિસ્ટમમાં કરશો ચૂક તો દંડનો સામનો કરવો પડી શકે છે

આ પણ વાંચો :  IPO : ડેટા એનાલિટિક્સ કંપની 600 કરોડ એકત્રિત કરવા IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Next Article