G20ના કારોબાર સમૂહ બિઝનેસ 20 (B-20)ની પ્રથમ બેઠક ગાંધીનગરમાં 22 જાન્યુઆરીએ શરૂ થઈ ગઈ છે. 3 દિવસીય આ બેઠકમાં ભારતના ઉદ્યોગ જગતના દિગ્ગજ, નીતિ નિર્માતા, જી-20 દેશના વરિષ્ઠ અધિકારી સામેલ થઈ રહ્યા છે. ત્યારે ભારતની પાસે દુનિયાના સૌથી ધનિક દેશોના સમૂહ G20ની અધ્યક્ષતા કરતા, B20 એટલે બિઝનેસ 20ની ચર્ચામાં ન માત્ર વૈશ્વિક વેપારના પડકારો સામે સામનો કરવાની તક છે પણ દુનિયાની પાસે પણ ભારતના અનુભવથી શીખ લઈને વૈશ્વિક વેપાર અવ્યવસ્થાઓને સુધારવાની એક મોટી તક છે.
જ્યારે એક આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવે છે અને તે ઘણા દેશોમાં સંચાલિત થઈ રહ્યો હોય છે તો એવી પરિસ્થિતિમાં કંપનીઓને અલગ અલગ પૃષ્ઠભૂમિના કર્મચારીઓનો સામનો કરવો પડે છે. ભાષા, સંસ્કૃતિ અને સમય ઝોનમાં તફાવત હોવાને કારણે તે કર્મચારીઓનું સંચાલન કરવું ચોક્કસપણે એક મોટો પડકાર છે.
કોઈ દેશના નિયમ અને નીતિઓ કોઈ કંપનીના પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. શ્રમ કાયદા વગેરેથી સંબંધિત કોઈ પણ નવી નીતિ કંપનીના ખર્ચ પર સીધો પ્રભાવ પાડી શકે છે. આ પ્રકારે એક કંપની માટે આ મહત્વપૂર્ણ છે કે તે જે દેશનું સંચાલન કરી રહી છે. તેની રાજનીતિ અને નીતિઓનું પાલન કરે. દરેક દેશ માટે વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો આયાત અને નિકાસ સહિત સમગ્ર વૈશ્વિક વેપારમાં વિવિધ પરિબળોને અસર કરે છે. આ જટિલતાઓને સમજવી અને સંબંધિત સપ્લાય ચેઈન મુદ્દાઓ માટે સંભવિત રૂપે એકાઉન્ટિંગ એ એક મોટો પડકાર બની શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યવસાયનો વિસ્તાર કરતા સમય પર પેરોલ અને રોજગાર કાયદાને સમજવો જરૂરી છે. ઘણા દેશોની સાથે કામ કરવાનો અર્થ છે અલગ અલગ વિવિધ વ્યવસાયના નિયમો, વ્યાપારી શુલ્ક, જરૂરિયાતો અને ટેક્સ દરો સાથેનો સામનો. જો કોઈ પણ કંપની કોઈ વિશેષ દેશના કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો આ નિરીક્ષણ તેમના વ્યવસાયના વિકાસને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે અને કંપનીની અનુપાલન ફી, પ્રતિષ્ઠાને નુકસાન અને સંભવિત ફોજદારી આરોપો પર ખર્ચ થઈ શકે છે.
જલવાયુ પરિવર્તન દરરોજ આપણને પ્રભાવિત કરે છે. ગ્લોબલ વોર્મિગ અને અન્ય પર્યાવરણીય મુદ્દાની સાથે દરેકના મગજમાં આ સૌથી આગળ છે. તે જરૂરી છે કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયો સહિત દરેક કંપની સતત ટકાઉપણું માટે મહત્તમ પ્રયત્નો કરે. વૈશ્વિક બજારમાં કોઈની પણ જગ્યા સુનિશ્ચિત કરવા માટે કંપનીને સૌથી વધારે પર્યાવરણ અનુકુળ, ટકાઉ વ્યવસાય પ્રથાઓને રણનીતિક અને અમલીકરણ કરવું પડશે.
ભારતની જી20 અધ્યક્ષતામાં ‘वसुधैव कुटुम्बकम’ या ‘एक पृथ्वी एक परिवार एक भविष्य’ના વિષય હાલના વેપારી પડકારો માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને વ્યાપાર વિશ્વના પડકારોને પહોંચી વળવા માટે વિશ્વ માટે એક પ્લેટફોર્મ બનાવે છે. જેમ કે બાલીમાં જી20 શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા જોર આપવામાં આવ્યું હતું કે ભારતની G20 અધ્યક્ષતા સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને ક્રિયાલક્ષી હશે.
ભારત દ્વારા ઓળખ કરવામાં આવેલી પ્રાથમિકતાઓ દુનિયાની સામે હાજર મહત્વપૂર્ણ મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જી20 દેશની વચ્ચે સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા તરીકે ભારતે વેપાર અને રોકાણ અને ડિજિટલીકરણ જેવા વિસ્તારમાં એક ઉલ્લેખનીય છાપ છોડી છે.