સુરતથી પ્રથમ ટેક્સટાઈલ પાર્સલ ટ્રેન બિહાર માટે રવાના, હવે માલ સીધો પહોચશે ફેક્ટરીથી દુકાનમાં

|

Sep 05, 2021 | 11:39 PM

સસ્તું, ઝડપી અને સલામત પરિવહન દ્વારા સુરતના કાપડ બજારને પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. એટલે કે, હવે કાપડ પોતે ચાલીને બિહારના વ્યાપારીઓ સુધી પહોંચશે.

સુરતથી પ્રથમ ટેક્સટાઈલ પાર્સલ ટ્રેન બિહાર માટે રવાના, હવે માલ સીધો પહોચશે ફેક્ટરીથી દુકાનમાં
ભારતીય રેલ્વે

Follow us on

ગુજરાતના સુરતથી ટેક્સટાઈલ સાથે જોડાયેલાં માલ-સામાનને બિહાર લઈ જવા માટે 25 માલગાડીના ડબ્બાઓથી સજ્જ પહેલી વિશેષ ‘કપડાં પાર્સલ’ ટ્રેન શનિવારે રવાના થઈ. કૃષિ પેદાશોને લઈ જવા માટે જે રીતે દેશમાં પ્રથમ વખત કિસાન રેલ ચલાવવામાં આવી હતી, તે જ રીતે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મદદ કરવા માટે કાપડ પાર્સલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ગુજરાતનું સુરત કાપડ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે, જ્યાંથી આ માલ ટ્રેન બિહાર માટે રવાના થઈ છે.

કોરોના દરમિયાન સુરતના કાપડના વ્યવસાયને ભારે અસર થઈ છે. લોકડાઉન અને તમામ પ્રતિબંધોને કારણે સુરતની ફેક્ટરીઓ માલથી ભરેલી છે. જો કે, નવા ઓર્ડર પર થોડી અસર પડી છે કારણ કે લોકડાઉનની જાહેરાત થતાં જ કાપડ મિલોમાં કામ કરતા કામદારો તેમના ગામ પરત ફર્યા. હવે જ્યારે લોકડાઉન સમાપ્ત થઈ ગયું છે, ત્યારે લોકો ફરી મિલો તરફ વળી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મિલો ચાલવા લાગી છે અને કાપડનું ઉત્પાદન પણ વધ્યું છે. જો કે, ટ્રેનોની અવરજવરમાં પ્રતિબંધોની અસર હજુ પણ છે, જેને દૂર કરવા રેલવેએ મોટું પગલું ભર્યું છે. કાપડના વેપારીઓને પરિવહનને કારણે પુરવઠામાં કોઈ સમસ્યા ન આવે તે માટે, રેલવેએ કાપડ સંબંધિત માલ સુરતથી બિહાર મોકલવા માટે પાર્સલ ટ્રેન ચલાવી છે.

કેમ ચલાવવામાં આવી રહી છે આ ટ્રેન

રવિવારે આ માહિતી આપતા પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરતના કાપડ બજારને સસ્તું, ઝડપી અને સલામત પરિવહન દ્વારા પ્રોત્સાહન આપવાના હેતુથી આ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. એટલે કે, હવે કાપડ પોતે બિહારના વ્યાપારીઓ સુધી પહોંચશે. ફક્ત આ માટે તેઓએ કાપડ મિલોને ઓર્ડર આપવો પડશે અને માલ રેલ દ્વારા તેમના સુધી પહોંચાડવામાં આવશે.

માલ દાનાપુર અને મુઝફ્ફરપુર પહોંચશે

પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ શનિવારે આ ખાસ ટ્રેનને સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાલુ નગર જવા માટે લીલી ઝંડી બતાવશે. બિહારના આ બે સ્ટેશનો પર કાપડનો સામાન ઉતરશે જ્યાંથી તેમને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવશે. તેનાથી કાપડ વેપારીઓની ચિંતા દૂર થશે કે કાપડ સુરતથી તેમની દુકાને કેવી રીતે પહોંચશે. રેલવે વિભાગે આ ચિંતા દૂર કરવા માટે ખાસ પાર્સલ ટ્રેન ચલાવી છે.

સુરતથી ટ્રેન ઉપડતી વખતે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યો અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર હતા. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે, “પ્રથમ વખત ઉધના ન્યૂ ગુડ્સ શેડ ખાતે એનએમજી કોચમાં કાપડ સામગ્રી લોડ કરવામાં આવી છે. આ દિશામાં પ્રથમ વખત ઉધના ન્યૂ ગુડ્સ શેડમાંથી કાપડ સામગ્રી લઈને પટના અને મુઝફ્ફરપુર માટે કાપડ પાર્સલ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી હતી.

આ 4 સ્થળોએથી સપ્લાઈ કરવામાં આવશે

અગાઉ, પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે તાજેતરમાં જ સુરત નજીક ચલથાણથી કોલકાતાના શાલીમાર ખાતે પ્રથમ વખત 202.4 ટન કાપડ સામગ્રીનું પરિવહન કર્યું હતું. આ કાર્યને ઝડપી બનાવવા માટે, પશ્ચિમ રેલવેએ તેના વિસ્તારમાં ચાર ટર્મિનલ બનાવ્યા છે જે મુંબઈ વિભાગમાં છે. આ 4 વિસ્તારોના નામ સુરત, ઉધના ન્યૂ ગુડ્સ શેડ, ચલથાણ અને ગંગાધરા છે.

આ ચાર સ્થળોએથી કાપડનો સામાન લોડ કરીને દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવી રહ્યો છે. સુરતથી દેશના વિવિધ ભાગોમાં કાપડનો ટ્રાફિક વધારવાનો  અને પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેવો રેલવેનો પ્રયાસ છે.

આ પણ વાંચો :  અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ મોંઘા થયા ડ્રાયફ્રૂટ્સ, જાણો ક્યારે થશે સસ્તા

આ પણ વાંચો :  Good News :મહેસાણાની તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી

Next Article