
જો તમે કર્મચારી છો તો તમારું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન અથવા ઈપીએફઓ (Employees’ Provident Fund Organization – EPFO ) માં પણ એક ખાતું હશે જેમાં તમારા પગારનો એક ભાગ જમા થાય છે. હવે PF નિયમોમાં કેટલાક નવા ફેરફાર આવી રહ્યા છે. 1 એપ્રિલ 2022 થી હાલના PF ખાતાઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે તેવી શક્યતા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે નવા આવકવેરા નિયમોની સૂચના આપી હતી. જે હેઠળ પીએફ ખાતાને બે ભાગમાં વહેંચવામાં આવશે. આ નિયમ કેન્દ્ર સરકારને રૂ. વાર્ષિક 2.5 લાખથી વધુના કર્મચારી યોગદાનના કિસ્સામાં PF ઇન્કમ પર ટેક્સ વસૂલવાની મંજૂરી આપશે. નવા નિયમોનો હેતુ ઉચ્ચ આવક ધરાવતા લોકોને સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ લેતા અટકાવવાનો છે.
મોટાભાગના પીએફ સબસ્ક્રાઇબર્સને રૂ.2.5 લાખની મર્યાદાનો લાભ મળશે. નવા નિયમથી નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને કોઈ અસર થશે નહીં. આ મુખ્યત્વે ઉચ્ચ આવક ધરાવતા કર્મચારીઓને અસર કરશે.
આ પણ વાંચો : ભારત થઈ રહ્યું છે ‘ડિજિટલ’, રોકડને બદલે યુઝર્સ ઈ-વોલેટ્સ, યુપીઆઈનો કરી રહ્યા છે ઉપયોગ- નીતિ આયોગ
આ પણ વાંચો : Adani Wilmar IPO: 8 ફેબ્રુઆરીએ આઈપીઓનું લિસ્ટીંગ, GMPમાં ઘટાડાને કારણે કમાણીની આશા નહીવત