કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ

|

Jan 26, 2022 | 6:07 PM

EPFOએ પરિપત્રમાં કહ્યું છે કે આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આ સાથે, તમામ કચેરીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળની બેંકોને પણ આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચનાઓ મોકલે.

કરોડો EPS પેન્શનરો માટે મોટા સમાચાર, આ દીવસ સુધી ખાતામાં જમા નથી થયા પૈસા તો મળશે વળતર, લાગુ થયો નિયમ
Symbolic Image

Follow us on

એમ્પ્લોઈઝ પેન્શન પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ના પેન્શનરોના કામના સમાચાર છે. જો ઈપીએફઓએ ​​પેન્શનરોને નિયત તારીખ સુધીમાં પેન્શન નહીં મળે, તો તેઓ વળતર મેળવવા માટે હકદાર બનશે. રિટાયરમેન્ટ ફંડ બોડીએ 13 જાન્યુઆરીએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પેન્શન ક્યારે ફાળવવું જોઈએ. હવે ઈપીએસ (EPS) પેન્શન પણ પગારની જેમ જ મળશે અને દર મહિનાની છેલ્લી તારીખે પેન્શનરના ખાતામાં જમા કરવામાં આવશે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન વિભાગ દ્વારા આ બાબતની સમીક્ષા કરવામાં આવી છે અને આરબીઆઈના નિર્દેશો અનુસાર નિર્ણય લેવામાં આવ્યો છે કે, તમામ પ્રાદેશિક કચેરીઓ બેંકોને માસિક BRS એવી રીતે મોકલી શકે છે કે છેલ્લા કામકાજના દિવસે અથવા તે પહેલાં પેન્શનર્સના ખાતામાં પેન્શન જમા થઈ જાય.

નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના

વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત તે પણ સુનિશ્ચિત થઈ શકે છે કે, વાસ્તવિક પેન્શન પેન્શન વિતરણ કરતી બેંકોને બે દિવસ પહેલા નહી મોકલવામાં આવે, જે પેન્શનરોના ખાતામાં જમા કરાવવાના છે. EPFOએ પરિપત્રમાં કહ્યું છે કે આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે. આ સાથે, તમામ કચેરીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળની બેંકોને પણ આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે સૂચનાઓ મોકલે.

કેટલું મળશે વળતર

આરબીઆઈના નિયમો અનુસાર, પેન્શનનું વિતરણ કરતી બેંકોએ પેન્શનમાં વિલંબ થવા પર પેન્શનધારકને વાર્ષિક 8 ટકા વ્યાજ પર બાકી રકમની ભરપાઈ કરવી પડશે. આ વળતર આપમેળે લાભાર્થીની બેંકમાં જમા થઈ જવું જોઈએ.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

તમને જણાવી દઈએ કે 10 વર્ષથી કામ કરતા કર્મચારીઓને 58 વર્ષની ઉંમર બાદ EPS પેન્શન મળે છે. પ્રોવિડન્ટ ફંડ (EPF) અને પેન્શન ફંડ (EPS) ના પૈસા કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) માં જમા કરવામાં આવે છે. EPFમાં યોગદાન આપનારા કર્મચારીઓ પણ EPS માટે પાત્ર છે.

એસએમએસ અથવા મિસ્ડ કોલ દ્વારા પીએફ બેલેન્સ કેવી રીતે ચેક કરવું

EPFO સાથે ખાતા ધરાવતા કર્મચારીઓ તેમના ઉપકરણ પર 7738299899 અને 011-22901406 ડાયલ કરીને તેમનું PF બેલેન્સ ચેક કરી શકે છે. EPF સભ્યો એસએમએસ દ્વારા બેલેન્સ રકમ ચકાસી શકે છે, તેઓએ ફક્ત ‘EPFOHO UAN LAN’ ટાઇપ કરવું પડશે અને તેને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 7738299899 પર મોકલવું પડશે.

તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મિસ્ડ કોલ આપીને પણ બેલેન્સ ચેક કરી શકો છો. આ કરવા માટે, EPF સભ્યએ ફક્ત 011-22901406 પર મિસ્ડ કોલ આપવો પડશે.

આ પણ વાંચો : Budget 2022: વરિષ્ઠ નાગરિકોની આ છે અપેક્ષાઓ, વ્યાજદર વધે, એન્યુટી ઈન્કમ ટેક્સ ફ્રી કરવામા આવે

Next Article