EPFO Alert : અજાણ્યા લોકો સાથે ન કરશો આ માહિતી શેર નહીંતર જીવનભરની બચત થઈ જશે સાફ, જાણો વિગતવાર

|

Oct 26, 2021 | 9:59 AM

EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ​​ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO ​​તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.

EPFO Alert : અજાણ્યા લોકો સાથે ન કરશો આ માહિતી શેર નહીંતર જીવનભરની બચત થઈ જશે સાફ, જાણો વિગતવાર
EPFO (Symbolic Image)

Follow us on

જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation)એ તેના તમામ ગ્રાહકોને ચેતવણીઓ જારી કરી છે. EPFO એ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા બાબતે ચેતવણી આપી છે. EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

કોઈપણ નોકરી શોધનાર માટે તેના પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. PF પર વ્યાજ સહિત પૈસા જમા થાય છે. આ કિસ્સામાં તમારે તમારા પીએફના નાણાં વિશે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

જાણો EPFOએ શું કહ્યું
EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ​​ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO ​​તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.

મોટું નુકસાન થઇ શકે છે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે હંમેશા EPFO ​​ના નામે આવતા ફોન કોલ્સથી સાવચેત રહો. EPFOએ નકલી વેબસાઇટ્સથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે. જો તમે EPFO ​​ચેતવણીને અવગણશો તો તમારે ભારે કિંમત ચૂકવવી પડશે અને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

બેંકો સમયાંતરે એલર્ટ પણ જારી કરે છે
ઉલ્લેખનીય છે કે બેંક તેના ગ્રાહકોની સુરક્ષા માટે સમયાંતરે ચેતવણીઓ જારી કરતી રહે છે. બેંક તેના ટ્વિટર હેન્ડલ અને MMS દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતી રહે છે.

બેન્કિંગ ફ્રોડના કેસો વધી રહ્યા છે
આપને જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન બેંકિંગ ફ્રોડના કેસમાં વધારો થયો છે. RBI ના રિપોર્ટ અનુસાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાના બેન્કિંગ ફ્રોડ થયા છે. આ સમયગાળા દરમિયાન બેંક ફ્રોડના 6800 થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં ફ્રોડના 5916 કેસ નોંધાયા હતા જેમાંથી રૂ 41,167 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. છેલ્લા 11 નાણાકીય વર્ષોમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે તેમના દ્વારા 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

આ પણ વાંચો :7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

Next Article