સમગ્ર દેશમાં મોંઘવારીથી (Inflation) લોકો પરેશાન છે. પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધવાની છે. કારણ કે હવે વીજળીની (electricity) કિંમત પણ વધવા લાગી છે. તેનું કારણ સરકારનો નવો નિયમ છે. વાસ્તવમાં દેશમાં કોલસાની (coal) અછતને જોતા કેન્દ્ર સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.
ઓટોમેટિક પાસથ્રુ મોડલ હેઠળ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણની કિંમતો વધશે, ત્યારે રાજ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ્સ)એ પાવર ખરીદવા માટે ઊંચી કિંમત ચૂકવવી પડશે. તેની અસર રાજસ્થાનમાં (Rajasthan) શરૂ થઈ ગઈ છે.
રાજ્યના ત્રણ શહેરો જયપુર, જોધપુર અને અજમેરમાં ડિસ્કોમ કંપનીઓએ (discom companies) તેમના ગ્રાહકો પર પ્રતિ યુનિટ 33 પૈસાનો ફ્યુઅલ સરચાર્જ લગાવ્યો છે. આ સાથે રાજ્યમાં આગામી ત્રણ મહિના સુધી તમામ કેટેગરીના ગ્રાહકોના વીજ બિલમાં વધારો થશે. દેશના અન્ય રાજ્યો પણ આ જલ્દી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે પાવર જનરેશન કંપનીઓની સાથે સાથે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પણ ભારે નુકસાનનો સામનો કરી રહી છે. જેના કારણે દેશના ઉર્જા ક્ષેત્રે મોટું સંકટ ઉભું થયું છે. દેશમાં સૌર ઉર્જા માટે મોટાપાયે વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ભારતમાં વીજળીનો મુખ્ય સ્ત્રોત કોલસો છે. દેશમાં તેની માંગને પહોંચી વળવા માટે કોલસાની મોટાપાયે આયાત કરવાની જરૂર છે.
આવી સ્થિતિમાં જ્યારે વિશ્વમાં ઈંધણના ભાવ વધશે ત્યારે ઉર્જા ઉત્પાદક કંપનીઓનો ખર્ચ પણ વધશે. આ કારણે તેઓ ગ્રાહકો માટે વીજળીની કિંમત વધારીને આની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે. ઓટોમેટિક પાસથ્રુ મોડલનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આ કંપનીઓ રાજ્યોને મોંઘી વીજળી વેચશે. આ પછી, ડિસ્કોમ્સ પણ વીજળીના દરમાં વધારો કરશે.
સરળ ભાષામાં સમજીએ તો આ સિસ્ટમ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં ફેરફારની જેમ કામ કરશે. આ સાથે તમને આ વસ્તુઓની જેમ દરરોજ વીજળીના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. દેશના તમામ રાજ્યોની ડિસ્કોમ્સ પહેલેથી જ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી છે, તેથી તેમાંથી રાહતની આશા ઓછી છે.
આ સાથે જ મહત્વની વાત એ પણ છે કે ભારતમાં ઉત્પાદિત 60 ટકા વીજળી અશ્મિભૂત ઈંધણથી બને છે. આવી સ્થિતિમાં જો કોઈ રાજ્ય વીજળીના ભાવમાં વધારો કરે છે. તેથી અન્ય રાજ્યો પણ આ પગલાને અનુસરશે. એટલે કે આગામી દિવસોમાં તમારું વીજળીનું બિલ વધવાનું છે.
આ પણ વાંચો : શું Bank Locker મેળવવા માટે ફરજીયાત FD કરવી પડે છે? બેંકના અધિકારી દબાણ કરે તો બતાવી દો RBI નો આ નિયમ