Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

|

Nov 04, 2021 | 9:10 AM

IIFL સિક્યોરિટીઝે તેના ક્લાયન્ટ્સને એક નોંધમાં જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે મજબૂત બિઝનેસ મોડલ અને લચીલી બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓ પોર્ટફોલિયોને સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરશે.

Diwali Muhurat Trading 2021 : નવા વર્ષમાં શેરબજારની તેજી યથાવત રહેશે કે નહિ? જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
stock market

Follow us on

Muhurat Trading: જો તમે પણ શેરબજારમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારના નિષ્ણાતોનું માનીએ તો બજારમાં તેજીનો તબક્કો ચાલુ રહી શકે છે. સંવત 2077ના અંત પછી પણ બજારમાં તેજી રહી શકે છે. છેલ્લી દિવાળીથી નિફ્ટીએ 40 ટકાથી વધુ વળતર આપ્યું છે. તે જ સમયે સ્મોલકેપ ઇન્ડેક્સે 79 ટકા અને મિડકેર ઇન્ડેક્સે 66 ટકાનું વળતર આપ્યું છે.

હકારાત્મક દિશાના સંકેત 
તમને જણાવી દઈએ કે આ સંવતમાં મોટાભાગના ક્ષેત્રોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મેટલ્સ (+128 ટકા), રિયલ્ટી (+113 ટકા), PSU બેન્ક (+93 ટકા)એ વળતર આપ્યું છે. બીજી તરફ ફાર્મા (+23 ટકા), એફએમસીજી (+29 ટકા), અને ખાનગી બેંકો (+30 ટકા) ગેઈનર રહ્યા હતા.

દિવાળી પર મુહૂર્તનો વેપાર થશે
આજે દિવાળીના કારણે શેરબજારમાં કોઈ કામકાજ નહીં થાય. જો કે મુહૂર્તનો વેપાર સાંજે માત્ર એક કલાક માટે જ થશે. આ વર્ષે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2021 સાંજે 6.15 વાગ્યાથી શરૂ થશે અને 7.15 વાગ્યા સુધી ચાલશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જાણો શા માટે બજારમાં તેજી રહેશે?
છેલ્લા છ મહિનામાં જીએસટી કલેક્શન સતત 1.2 લાખ કરોડને વટાવી ગયું છે અને રેવન્યુ કલેક્શન સ્થિરતા દર્શાવે છે. આ સિવાય કોરોના રોગચાળાના 100 અબજ ડોઝ પૂરા થઈ ગયા છે જેના પછી સરકાર હવે વિકસતા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. દેશભરમાં ઝડપથી વધી રહેલા રસીકરણને કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં વેપાર ફરી વેગ પકડ્યો છે. આ સાથે ભારત આર્થિક વિકાસની લહેર તરફ આગળ વધી રહ્યું છે.

બ્રોકરેજ હાઉસ દ્વારા ભલામણ કરાયેલ કેટલાક શેરો ઉપર કરીએ નજર
સંવત 2078 માટે, ટેકનિકલ ચાર્ટનો ઉપયોગ કરીને અગ્રણી બ્રોકરેજ હાઉસે તમારા માટે કેટલાક શેરો ઓળખ્યા છે જે સારું પ્રદર્શન કરી શકે છે. આ શેરોની પસંદગી વિવિધ ક્ષેત્રોમાંથી કરવામાં આવી છે. જેમાં રોકાણ કરીને તમે તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી શકો છો.

માર્કેટ ગુરુ સંજીવ ભસીને આ દિવાળીએ તેમના મલ્ટીબેગર પોર્ટફોલિયોમાં આ શેરોનો સમાવેશ કર્યો છે.

Large Cap Stocks 
ICICI Bank         – 16% return
Infosys                – 22% return
Tata Motors       – 27% return
HDFC Bank       – 25% return
Larsen&Toubro – 21% return
Tata Steel            – 48% return

Midcap Stocks
Tube Investments of India    – 12% Return
Deepak Nitrate                        – 30% Return
SW Solar                                   – 82% Return
RSWM                                      – 83% return
Shriram Transport Finance – 23% Return
Persistent Systems                 – 22% Return
Tata Chemicals                       – 28% Return

જાણો શું કહ્યું નિષ્ણાતોએ?
IIFL સિક્યોરિટીઝે તેના ક્લાયન્ટ્સને એક નોંધમાં જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે મજબૂત બિઝનેસ મોડલ અને લચીલી બેલેન્સ શીટ ધરાવતી કંપનીઓ પોર્ટફોલિયોને સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરશે. રોકાણ ચક્ર સતત આર્થિક વૃદ્ધિ અને સુધારણાના દૃષ્ટિકોણને આગળ ધપાવે છે.” આ આવક સ્થાનિક રોકાણ ખર્ચને પ્રોત્સાહિત કરશે.”

 

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

 

આ પણ વાંચો :  Diwali Muhurat Trading 2021 : સંવત 2078 માં આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, અગ્રણી બ્રોકરેજ હાઉસના પસંદગીના શેર્સ ઉપર કરો નજર

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Cut : પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટવાથી કેન્દ્રને 1 લાખ કરોડની આવક જતી કરવી પડશે, જાણો શું પડશે અસર

Next Article