Crypto tax in India : 31 માર્ચ સુધીમાં ક્રિપ્ટો એસેટ વેચવાની નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે, જાણો કેમ?

|

Mar 29, 2022 | 6:27 AM

આપણે બધા જાણીએ છીએ કે ક્રિપ્ટોકરન્સી અત્યંત અસ્થિર છે કારણ કે કોઈપણ સરકાર અથવા બેંક દ્વારા ક્રિપ્ટો એસેટનું કોઈ નિયમન નથી. આનાથી ઘણા લોકોને તેમાં રોકાણ કરવા અને ગેરકાયદેસર ધંધો કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે.

Crypto tax in India : 31 માર્ચ સુધીમાં ક્રિપ્ટો એસેટ વેચવાની  નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે, જાણો કેમ?
Symbolic image

Follow us on

બિઝનેસ સેક્ટરના ઘણા નિષ્ણાતો આ નાણાકીય વર્ષના અંત સુધીમાં એટલે કે 31મી માર્ચ સુધીમાં ક્રિપ્ટો એસેટ(Crypto Asset) વેચવાની સલાહ આપી રહ્યા છે. અહીં ક્રિપ્ટો એસેટનો અર્થ bitcoin, ether અને non-fungible token (NFT) તરીકે સમજી શકાય છે. સરકારે તાજેતરના બજેટમાં ક્રિપ્ટો એસેટ વિશે કોઈ વિગતવાર માહિતી આપી નથી. ક્રિપ્ટોકરન્સી વિશે પણ કંઈ જણાવ્યું નથી. સરકારે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ અથવા VDA વિશે વાત કરી હતી. નિષ્ણાતો આ VDAને ક્રિપ્ટોકરન્સી(Crypto Currency) અને NFT કહી રહ્યા છે. બજેટમાં ક્રિપ્ટો એસેટ ટ્રાન્ઝેક્શન પર 30 ટકા ટેક્સ લગાવવા અને 1 ટકા TDS કાપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો કે, આ TDS આવકવેરા રિટર્નમાં વ્યવસાય સાથે સેટ ઓફ કરી શકાય છે. ટેક્સ લાયબિલિટી અને ટીડીએસને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો કહી રહ્યા છે કે બિટકોઈન વગેરે જેવી ક્રિપ્ટોકરન્સીનું વેચાણ નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં કરવું જોઈએ.

આપણે બધા જાણીએ છીએ કે ક્રિપ્ટોકરન્સી અત્યંત અસ્થિર છે કારણ કે કોઈપણ સરકાર અથવા બેંક દ્વારા ક્રિપ્ટો એસેટનું કોઈ નિયમન નથી. આનાથી ઘણા લોકોને તેમાં રોકાણ કરવા અને ગેરકાયદેસર ધંધો કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે. જો કે, ભારત સરકારે 2022 ના બજેટ સત્ર દરમિયાન ભારતમાં તેના ફેલાવા અને ઉપયોગને નિયંત્રિત કરવા માટે દરેક વ્યવહાર પર નફા અને TDS પર કર લાદવાની જાહેરાત કરી હતી. ક્રિપ્ટો સંબંધિત નવો ટેક્સ કાયદો 1 એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઘણા નિષ્ણાતો તેને 31 માર્ચ સુધીમાં વેચવાની સલાહ આપી રહ્યા છે. એક પ્રશ્ન ઊભો થાય છે કે જો તમે ક્રિપ્ટો રાખો તો શું થશે?

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતોના મતે વર્તમાન નાણાકીય વર્ષના અંત પહેલા નફો કે ખોટ બુક કરવા માટે આપણે અમારી ક્રિપ્ટો હોલ્ડિંગ વેચવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે સરકાર કેન્દ્રીય બજેટમાં નિર્ધારિત નિયમોમાં ફેરફાર કરવા તૈયાર નથી અને ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી દ્વારા સૂચવવામાં આવેલા કોઈપણ સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. નવા કાયદા હેઠળ ક્રિપ્ટો વેચવા પર થયેલા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો કોઈ વ્યક્તિ 1 એપ્રિલ પછી ક્રિપ્ટોકરન્સી વેચે છે અને નફો કરે છે તો તેણે સરકારને નફા પર 30% ટેક્સ ચૂકવવો પડશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ક્રિપ્ટો વેચવા પર નુકસાન થાય છે તો તે અન્ય ક્રિપ્ટો એસેટના વેચાણથી થયેલા નફામાંથી સેટ ઓફ કરી શકાતું નથી. આ જ કારણ છે કે ક્રિપ્ટોકરન્સી નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષમાં જ ક્રિપ્ટોકરન્સી વેચવાની સલાહ આપી રહ્યા છે. જો તે 1 એપ્રિલ પછી વેચવામાં આવે છે, તો નફા પર ઉંચો ટેક્સ ચૂકવવો પડશે જો નુકસાન થાય છે તો તેને અન્ય નફા સાથે જોડી શકાય નહીં. તેથી આગામી નાણાકીય વર્ષમાં રોકાણકારોને એક સાથે ડબલ નુકસાન જોવા મળી રહ્યું છે. ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ સરકારને ટેક્સ નિયમો પર વિચાર કરવા કહ્યું હતું પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો ન હતો.

ક્રિપ્ટો પર ટેક્સ કેવી રીતે લાગે છે

ધારો કે તમે 10,000 રૂપિયામાં ક્રિપ્ટો ખરીદ્યો અને તેને 12,000 રૂપિયામાં વેચ્યો. તમે 2,000 રૂપિયાનો નફો કર્યો છે. આ 2,000 રૂપિયા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જે 600 રૂપિયા થશે. જો તમે ક્રિપ્ટો વેચતા નથી તો કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જ્યારે તમે ક્રિપ્ટો વેચો છો ત્યારે તમે નફાને બદલે ગુમાવો છો તેથી કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર રહેશે નહીં.

તેનો નિયમ છે કે ક્રિપ્ટો વેચવા કે ખરીદવા પર તમને નુકસાન હોય કે નફો, 1% TDS ચોક્કસપણે કાપવામાં આવશે. ધારો કે તમે 40,000 રૂપિયામાં બિટકોઈન ખરીદ્યા છે અને તેને માત્ર 40,000 રૂપિયામાં વેચી રહ્યાં છો. 1% TDS કાપ્યા પછી, તમારા હાથમાં ફક્ત 39,600 રૂપિયા જ મળશે. જો તમે આ પૈસાથી બિટકોઈન અથવા NFT ખરીદો છો અને પછીથી તેને કોઈ નફા વગર વેચી રહ્યા છો તો 1% TDS વધુ કાપવામાં આવશે. તમને માત્ર 39,204 રૂપિયામાં મળશે. જો કે, TDS ની આ કપાત વર્ષના અંતમાં ITRમાં સેટ-ઓફ થઈ શકે છે.

આ પણ વાંચો : MONEY9: મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરતા પહેલાં શું રાખશો ધ્યાન?

આ પણ વાંચો : MONEY9: શેરબજારમાંથી થતી કમાણી પર બચાવો ટેક્સ, કરો ટેક્સ હાર્વેસ્ટિંગ

Next Article