
શું તમે પણ એવા લોકોમાંથી એક છો જેમની પાસે પહેલાથી જ GST નોંધણી હતી, પરંતુ સમયસર ટેક્સ ન ભરવાને કારણે તે રદ થઈ ગયું. આવા લોકોને સરકારે મોટી રાહત આપી છે. હવે આવા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ 30મી જૂન સુધી તેમનું કેન્સલેશન રદ કરાવી શકશે. આવો જાણીએ આ માટેની પ્રક્રિયા. નાણા મંત્રાલયે તે કંપનીઓ અને ઉદ્યોગપતિઓને રાહતની જાહેરાત કરી છે જેમણે GST રિટર્ન ફાઇલ કર્યું નથી અને તેના કારણે તેમનું GST રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. હવે આ લોકો 30 જૂન સુધીમાં તેમનું GST રજિસ્ટ્રેશન રિસ્ટોર કરાવી શકશે.
આ પણ વાંચો : આ મોટા મુસ્લિમ દેશ પાસે ભારતના 700 કરોડ રૂપિયાના લેણા, કહ્યું- ‘પહેલા પૈસા આપો પછી ચોખા આપીશું’
નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની પ્રક્રિયાને રદ કરવા માટે લોકોએ તેમનો બાકી ટેક્સ, વ્યાજની રકમ અને પેનલ્ટી ચૂકવવી પડશે. નાણા મંત્રાલયે આ માટે સેન્ટ્રલ જીએસટી એક્ટમાં પણ સુધારો કર્યો છે.
નાણા મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રાહત ફક્ત તે લોકોને જ આપવામાં આવશે જેમની GST રદ્દીકરણ 31 ડિસેમ્બર, 2022 પહેલા થયું હતું અને જેઓ નિર્ધારિત સમય મર્યાદામાં નોંધણી પુનઃસ્થાપિત કરવા માટે અરજી કરી શક્યા નથી.
આ પણ વાંચો : મલેશિયા સાથે હવે રૂપિયામાં થશે વેપાર, ડોલરની થશે બચત, કારોબારમાં પણ થશે વધારો
નાણા મંત્રાલયના નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેન્સલેશન રદ કરવા માટે કંપનીઓ અને બિઝનેસમેનોએ પહેલા પેન્ડિંગ રિટર્ન ફાઈલ કરવું પડશે. આ સાથે આ રિટર્ન સંબંધિત લેટ ફી, વ્યાજ, પેનલ્ટી વગેરે પણ ચૂકવવા પડશે.
આ સાથે, નોટિફિકેશનમાં એક વધુ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આવા કિસ્સાઓમાં, રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયાને રદ કરવાની છેલ્લી તારીખ માત્ર 30 જૂન છે. તેને વધુ લંબાવવામાં આવશે નહીં.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…