
જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો, તો તમારા બેંક ખાતા અંગે એક મોટી ચેતવણી છે. હકીકતમાં, બેંકે માર્ચમાં ચેતવણી આપી હતી કે કેટલાક ખાતા 16 એપ્રિલથી બંધ થઈ શકે છે. આ એવા ખાતા છે જે ત્રણ વર્ષથી નિષ્ક્રિય છે, કોઈ વ્યવહારો નથી અને શૂન્ય બેલેન્સ છે.
પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને મહત્વપૂર્ણ ચેતવણી આપી છે કે 15 એપ્રિલ સુધીમાં નિષ્ક્રિય ખાતાઓને સક્રિય ન કરવામાં આવે તો 16 એપ્રિલથી તે ખાતાઓ બંધ કરવામાં આવશે. હવે માત્ર થોડા જ દિવસો બાકી હોવાથી ગ્રાહકો માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી બની છે.
બેંક મુજબ, છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન ન થયેલા અને શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતાઓને નિષ્ક્રિય ગણવામાં આવ્યા છે. આવા ખાતાઓ પર સીધી અસર પડશે અને સમયમર્યાદા બાદ તે બંધ થઈ શકે છે.
Punjab National Bank દ્વારા માર્ચ મહિનામાં જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગ્રાહકોને આગાહી આપવામાં આવી હતી. બેંકે સ્પષ્ટ જણાવ્યું હતું કે સમયસર પગલાં ન લેવાય તો ખાતા નિષ્ક્રિય થઈ જશે.
ગ્રાહકો પોતાના નજીકના બેંક બ્રાંચમાં જઈને KYC પ્રક્રિયા પૂર્ણ કરીને સરળતાથી ખાતું સક્રિય કરી શકે છે. ઉપરાંત, નાનું ટ્રાન્ઝેક્શન કરવાથી પણ ખાતું ફરીથી સક્રિય થઈ શકે છે.
બેંકે ખાસ ભાર મુક્યો છે કે KYC (Know Your Customer) અપડેટ કરવું અનિવાર્ય છે. KYC પૂર્ણ થયા બાદ ખાતું સુરક્ષિત રીતે ચાલુ રાખી શકાય છે.
બેંકનું કહેવું છે કે નિષ્ક્રિય અને શૂન્ય બેલેન્સ ખાતાઓ છેતરપિંડી માટે વધુ જોખમી બની શકે છે. આવા જોખમોને ઘટાડવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
જો કોઈ ગ્રાહકને પોતાના ખાતાની સ્થિતિ અંગે શંકા હોય, તો તેઓ નજીકની બેંક શાખામાં સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો-5 વર્ષમાં પૈસા ડબલ! HDFC ના આ પાંચ ફંડે રોકાણકારોનું નસીબ બદલી નાખ્યું, બેંક FD કરતા પણ વધુ ‘વળતર’ આપ્યું