Asia Economic Dialogue 2022: આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત – મુકેશ અંબાણી

|

Feb 23, 2022 | 9:56 PM

મુકેશ અંબાણીએ કહ્યું, ક્લીન એનર્જી કોઈ વિકલ્પ નથી, જરૂરિયાત છે. ભારત ગ્રીન એનર્જીની નિકાસ કરી શકે છે. 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Asia Economic Dialogue 2022: આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે ભારત - મુકેશ અંબાણી
Mukesh Ambani - Chairman RIL

Follow us on

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણી એશિયા ઈકોનોમિક ડાયલોગ 2022ને સંબોધિત કરી રહ્યા હતા. આ સમિટમાં તેમણે પર્યાવરણમાં થતા પરિવર્તનને માનવતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત આગામી 20 વર્ષમાં ગ્રીન એનર્જીમાં સુપર પાવર બનશે. ભારત ગ્રીન એનર્જીની નિકાસ કરી શકે છે. 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એશિયાનો જીડીપી બાકીના દેશો કરતાં વધુ છે. ક્લીન એનર્જી એ કોઈ વિકલ્પ નહીં, આવશ્યકતા છે.  પૂણે ઈન્ટરનેશનલ સેન્ટર પોલિસી રિસર્ચ થિંક ટેન્ક અને વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાણીએ કહ્યું, આ ભારતનો સમય છે. ભારત વિશ્વમાં ક્લીન અને ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનશે. આગામી 20 વર્ષમાં દેશમાં ટેક્નોલોજી ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધ્યો છે. બજેટમાં પણ ગ્રીન એનર્જી અંગે મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગ્રીન એનર્જી વધુ સારા જીવનનો માર્ગ સરળ બનાવશે.

ભારતીય ઉદ્યોગપતિઓમાં ઉત્સાહ

મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય ઉદ્યોગપતિઓમાં ઘણો ઉત્સાહ છે. સરકાર ગ્રીન એનર્જી અને તેના ફંડિંગને લઈને ગંભીર છે. સરકાર ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી રહી છે. ગ્રીન એનર્જીમાં રોકાણ માટે ભારત આકર્ષક વિકલ્પ છે. ભારતે ગ્રીન અને ક્લીન એનર્જીમાં પોતાનો હિસ્સો વધારવો જોઈએ. સરકાર ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

આ કોન્ફરન્સ એક મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ છે, જેમાં વિવિધ દેશોના વિદેશ મંત્રીઓ, વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગના નેતાઓ, ડોમેન નિષ્ણાતો અને વૈશ્વિક વેપાર અને નાણાકીય નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આમાં મુખ્ય ચર્ચા વૈશ્વિક વેપાર અને નાણાકીય ક્ષેત્રમાં કોવિડ -19ની અસર પર થશે.

તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. આ સિવાય 2030 માટે અન્ય ઘણા લક્ષ્યાંકો પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારત 2030 સુધીમાં ઓછી કાર્બન ઉત્સર્જન વાળી તેની પાવર ક્ષમતાને 500 ગીગાવોટ સુધી વધારવા અને 2030 સુધીમાં નવીનીકરણીય ઉર્જા દ્વારા પોતાની ઉર્જા જરૂરિયાતોના 50 ટકાને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ક્લીન એનર્જી પર વધ્યુ ફોકસ

RILએ તેના ગ્રીન એનર્જી બિઝનેસને આકાર આપવા માટે સોલાર, બેટરી અને હાઈડ્રોજન સેક્ટરમાં રોકાણ કરવા માટે ઘણી ભાગીદારી કરી છે. કંપની REC, NexWaf, Sterling & Wilson, Stisal અને Ambari સાથે કુલ 1.2 અબજ ડોલરના કુલ ખર્ચે ભાગીદારી કરશે.

રિલાયન્સ હસ્તગત કરેલ ટેક્નોલોજીનું વ્યાપારીકરણ કરશે અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે એવી અપેક્ષા છે કે રિલાયન્સ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે ફ્યુઅલ સેલ અને મુખ્ય સામગ્રી જેવી ટેક્નોલોજીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો :  યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણે રશિયાના 23 સૌથી ધનિકોને મોટો ફટકો, 2.38 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Next Article