Akshaya Tritiya 2021: ભારતીય તહેવારોમાં અક્ષય તૃતીયા પર્વનું વિશેષ મહત્વ છે. આ મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆતથી લઈને મહત્વપૂર્ણ ચીજોની ખરીદી અને લગ્ન જેવા શુભ કાર્ય પણ આ દિવસે કોઈ પણ શંકા વિના કરવામાં આવે છે.
અક્ષય તૃતીયનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીય તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન નર-નારાયણ સહિત પરશુરામ અને હયગ્રીવનો અવતાર થયો હતો. આ ઉપરાંત બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમાર પણ આ દિવસે અવતર્યા હતા.
આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેની સફળતાની આશા અને પરાથના સાથે શરૂ કરીએ છે. આવી સ્થિતિમાં એક એવો શુભ દિવસ છે જ્યારે તમે તમારા બધા શુભ કાર્ય વિના સંકોચ શરૂ કરી શકો છો. આજે આ શુભ પર્વ છે. અક્ષય એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી, તે ક્યારેય નાશ પામતો નથી. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું પરિણામ અનેક ગણું સારું મળે છે.
શુભ કાર્ય માટે પંચાંગ જોવાની જરૂર નથી
શું આપ જાણો છો? અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્યનું શું મહત્વ છે? શા માટે શુભ ચીજોની ખરીદી કરાય છે? અક્ષય તૃતીયનું શું મહત્વ છે? ભાવિષ્ય પુરાણ અનુસાર અક્ષય તૃતીય તિથિનું વિશેષ મહત્વ રહ્યું છે, આ તિથિથી સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ છે. આ દિવસે લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો પંચાંગ જોયા વિના કરી શકાય છે.
સોનાની ખરીદીની પરંપરા
અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સોનાનો જથ્થો વધે છે. પરંતુ પરંપરાને જાળવી રાખવી એ તમારું સ્થાન છે જો તમારે સોનું ખરીદવું ન હોય અથવા તમારું બજેટ ન હોય તો બિલકુલ ચિંતિત થશો નહી. આ દિવસે દાનનું પણ મહત્વ છે . દાન કરવાથી તમારો સમય સારો રહેશે જીવનમાં મુશ્કેલીઓ આવશે નહિ અને સુખ-સમૃદ્ધિ વધશે.