AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની અસરમાંથી ઝડપથી ઉગરી રહ્યું છે એવિએશન સેક્ટર, Air Traffic કોવિડ પહેલાના સ્તરની નજીક

ઓક્ટોબર મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 70.46 ટકા વધીને 89.85 લાખ થઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવારે આ માહિતી આપી.

કોરોનાની અસરમાંથી ઝડપથી ઉગરી રહ્યું છે એવિએશન સેક્ટર, Air Traffic કોવિડ પહેલાના સ્તરની નજીક
Symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:46 PM
Share

દેશનું ઉડ્ડયન ક્ષેત્ર (Aviation sector) હવાઈ ટ્રાફિકના (Air traffic) સંદર્ભમાં કોવિડ પહેલાના સ્તરની નજીક પહોંચી ગયું છે અને તે વધતું રહેશે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. વિંગ્સ ઈન્ડિયા-2022 (Wings India-2022) વિશે માહિતી આપવા માટે આયોજિત એક કાર્યક્રમમાં અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જેનું આયોજન 24થી 27 માર્ચ દરમિયાન હૈદરાબાદમાં થવાનું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સંયુક્ત સચિવ, ઉષા પાધીએ કહ્યું કે પરિસ્થિતિ લગભગ સામાન્ય બની રહી છે અને અમે મહામારીના પહેલાના સ્તરે લગભગ 85 ટકા પર પહોંચી ગયા છીએ.

ઑક્ટોબરમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 71 ટકાનો વધારો

આ તરફ ઓક્ટોબર મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા 70.46 ટકા વધીને 89.85 લાખ થઈ ગઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવારે આ માહિતી આપી. ડીજીસીએના ડેટા અનુસાર ગયા વર્ષના સમાન મહિનામાં 52.71 લાખ મુસાફરોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દ્વારા મુસાફરી કરી હતી.

ઈન્ડિગો દ્વારા સૌથી વધુ મુસાફરોએ યાત્રા કરી

માહિતી અનુસાર ઑક્ટોબર દરમિયાન એરલાઈન ઈન્ડિગો દ્વારા સૌથી વધુ 48.07 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે ઑક્ટોબરમાં સ્થાનિક મુસાફરી કરતા કુલ મુસાફરોના 53.5 ટકા છે. જ્યારે છેલ્લા મહિનામાં એર ઈન્ડિયા દ્વારા 10.61 લાખ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. આ સિવાય ટાટા- એસઈએના સંયુક્ત સાહસના વિસ્તરણને કારણે ઑક્ટોબર દરમિયાન 6.96 લાખ, એરએશિયા ઈન્ડિયા દ્વારા 5.72 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી.

ટૂંકા અંતરની ફ્લાઈટમાં પણ ખાવા-પીવાની સુવિધા ઉપલબ્ધ થશે

કોરોનાની અસરમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે ટૂંકા અંતરની ફ્લાઈટમાં પણ ખાવા-પીવાની સુવિધાને મંજૂરી આપી છે. કોવિડને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ હવે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટમાં ખાવા-પીવાની મજા માણી શકાશે. કોરોનાની બીજી લહેરને જોતા સરકારે 2 કલાકથી ઓછા સમયના અંતરની ફ્લાઈટમાં ભોજનની વ્યવસ્થા બંધ કરી દીધી હતી. હવે આ સિસ્ટમ ફરી શરૂ થવા જઈ રહી છે.

હવે અખબારો અને સામયિકો પણ વાંચી શકાશે

વધુ એક મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. કોવિડને ધ્યાનમાં રાખીને ફ્લાઈટમાં અખબાર અથવા મેગેઝિન વાંચવા જેવી સેવા બંધ કરવામાં આવી હતી. ઉડ્ડયન મંત્રાલયના નવા આદેશ અનુસાર એરલાઈન કંપનીઓ હવે અખબારો અને મેગેઝિન જેવી વાંચન સામગ્રી લઈ જઈ શકશે. મુસાફરો આ સુવિધાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો :  ખોટી ઓળખ સાથે Pakistan થી China રવાના કરાયેલા Radioactive પદાર્થના કન્ટેનરોને DRI એ મુંદ્રા પોર્ટ ખાતે ઝડપી પડાયા

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">