પેશાબકાંડમાં આરોપી પર એર ઈન્ડિયાનું કડક વલણ, 4 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ

|

Jan 19, 2023 | 6:51 PM

એર ઈન્ડિયા દ્વારા ગુરુવારે પેશાબ કાંડમાં આંતરિક તપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી છે. પહેલા એર ઈન્ડિયાએ આરોપી પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે બાદમાં તે વધારી 4 મહિના કરવામાં આવ્યો.

પેશાબકાંડમાં આરોપી પર એર ઈન્ડિયાનું કડક વલણ, 4 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
Air India

Follow us on

એરલાઈને એર ઈન્ડિયામાં પેશાબ કરવાના આરોપસર શંકર મીશ્રા ચાર મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. વાત એમ છે કે, 26 નવેમ્બરના રોજ, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં, આરોપી શંકર મિશ્રાએ નશાની હાલતમાં એક વૃદ્ધ મહિલા સહ-પ્રવાસી પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ ઘટના લગભગ એક મહિના પછી મીડિયામાં આવી જ્યારે પીડિત મહિલાએ આ ઘટના અંગે એર ઈન્ડિયાને લેખિતમાં ફરિયાદ કરી. શંકર મિશ્રા હાલમાં જેલમાં છે અને અનેક અરજીઓ બાદ પણ કોર્ટે તેમને જામીન આપ્યા નથી.

આ પહેલા એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે આરોપી પર 30 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ હાલમાં જ એરલાઇન કંપનીએ ગુરુવારે એક આંતરિક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં આ કેસ સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો :દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પેશાબ કાંડના આરોપી શંકર મિશ્રાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો

શંકર મિશ્રા વતી પિતા અને વકીલે અણધણ નિવેદનો

જણાવી દઈએ કે આરોપી શંકર મિશ્રા વતી પિતા અને વકીલે અનેક નિવેદનો આપ્યા છે અને આ કેસને બરતરફ કરવાનું કહ્યું છે. જોકે, કોર્ટે હજુ સુધી આરોપીને જામીન પર મુક્ત કર્યા નથી. તાજેતરમાં, કોર્ટમાં અપીલ દરમિયાન, શંકર મિશ્રાના વકીલે કહ્યું કે તેમના અસીલે પેશાબ કર્યો નથી. તેના બદલે તે મહિલાએ પોતે જ પેશાબ કર્યો છે કારણ કે તે પ્રોસ્ટેટ સંબંધિત કોઈ બિમારીથી પીડિત છે.

વકીલનો બફાટ

આ દરમિયાન શંકર મિશ્રાના વકીલે પણ કહ્યું કે મહિલા કથક ડાન્સર છે અને કથક ડાન્સર મહિલાઓમાં આ પ્રકારની સમસ્યા સામાન્ય છે. આ વિવાદાસ્પદ દલીલ બાદ શંકર મિશ્રાને જામીન ન મળતાં સમગ્ર દેશમાં તેનો વિરોધ થયો હતો. પુરસ્કાર વિજેતા કથક નૃત્યાંગના અનેક મહિલાઓએ પોતે કેમેરા સામે આવીને કહ્યું કે આ નિવેદનમાં કોઈ સત્ય નથી.

ક્રૂ મેમ્બર કરી હતી તપાસ

ક્રૂ મેમ્બર તરફથી જ્યારે ફરિયાદ મળી કે શંકર મિશ્રાએ નશાની હાલતમાં એક મહિલા સહ-પ્રવાસી પર પેશાબ કર્યો હતો. ત્યારે ક્રૂએ જઈને જોયું તો શંકર મિશ્રા સૂઈ રહ્યો હતો. જ્યારે શંકર મિશ્રાને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પોતે પણ આઘાતમાં સરી પડ્યા હતા.

Next Article