Railway Budget 2022 : 100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે

|

Feb 01, 2022 | 3:43 PM

Railway Budget 2022 : દેશમાં  100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી.

Railway Budget 2022 : 100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે
Railway Budget 2022(File Image)

Follow us on

Railway Budget 2022 : : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે  જણાવ્યું કે  દેશમાં  100 પીએમ ગતિ શકિત રેલ્વે કાર્ગો ટર્મિનલ ડેવલોપ કરાશે  કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે(nirmala sitharaman)  જણાવ્યું કે આગામી 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન(Vande Bharat Train)  ચલાવવામાં આવશે

ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન, ભારતમાં સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે રૂ. 100-લાખ-કરોડનો પ્રોજેક્ટ છે, જેને નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં રૂ. 20,000 કરોડનો પ્રથમ ખર્ચ મળ્યો છે.”PM ગતિ શક્તિ રાજ્યો માટે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે સાત એન્જિનોને સમાવિષ્ટ કરશે અને આ પ્રોજેક્ટને વેગ આપવા માટે સરકાર દ્વારા 20,000 કરોડના ભંડોળ દ્વારા લોકો અને માલસામાનની ઝડપી અવરજવરને સરળ બનાવવા માટે ટેક્નોલોજી દ્વારા વિકાસ પ્રોજેક્ટના ઝડપી અમલીકરણ સાથે” નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણાપ્રધાન આજે નિર્મલા સિતારમણે 2022-2023નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા ઘણી મહત્વની જાહેરાત થઈ શકે છે. આ બજેટ એટલા માટે પણ ખાસ હશે કેમ કે, પાંચ રાજ્યની ચૂંટણી પહેલા બજેટમાં અનેક બુસ્ટર રાહત આપવામાં આવી શકે છે. આ વખતે ખેડૂતોમાં બુસ્ટર પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. તો બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લંબાવી શકે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે

ભારતીય રેલ્વે  66622   માલવાહક  અને 13313  પેસેન્જર ટ્રેનો તેના નેટવર્ક પર 66,687 રૂટ કિલોમીટર્સ પર ટ્રેન ચલાવે  છે અને દર વર્ષે 1000 મિલિયન ટનથી વધુ માલસામાન વહન કરે છે. તેમજ  દરરોજ લગભગ બે કરોડ 20 લાખ  મુસાફરોને પરિવહન કરાવે છે. . રેલ્વે મંત્રાલયે રેલ્વે પ્રોજેક્ટ્સની ગતિ ઝડપી બનાવવા માટે નવી પહેલ કરી છે. ભારતીય રેલ્વે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કરી રહી છે. ભારતીય રેલ્વે આગામી 12 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને દેશના સૌથી દૂરના ખૂણા સુધી પહોંચવા માટે ભાગીદારી, સંયુક્ત સાહસો અને સહયોગ દ્વારા 700 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

આ  પણ વાંચો : Budget 2022 Share Market Updates : નિર્મલા સીતારામણના બજેટને શેરબજારનો હકારાત્મક આવકાર, Sensex માં 850 અને Nifty 238 અંકનો ઉછાળો

આ  પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત

Published On - 11:40 am, Tue, 1 February 22

Next Article