તમે નહીં જાણતા હોવ 56 ભોગનું આ રહસ્ય ! શ્રીકૃષ્ણના 56 ભોગનો કમળ પુષ્પ સાથે ગાઢ નાતો

પ્રભુને અર્પણ કરવા માટે છપ્પન પ્રકારની સામગ્રીનું નિર્માણ થતું હોઈ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવામાં આવે છે. અને આ ૫૬ ભોગ (56 bhog) સાથે કમળનું પુષ્પ કઈ રીતે સંકળાયેલું છે તે જાણવું અત્યંત રસપ્રદ બની રહેશે.

તમે નહીં જાણતા હોવ 56 ભોગનું આ રહસ્ય ! શ્રીકૃષ્ણના 56 ભોગનો કમળ પુષ્પ સાથે ગાઢ નાતો
56 bhog
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 06, 2022 | 6:09 AM

સમગ્ર વિશ્વમાં માત્ર અને માત્ર એક કમળ (lotus) જ એવું ફૂલ છે કે જે સાતે સાત રંગોમાં ખીલે છે. હિંદુ ધર્મમાં (Hindu dharma) આ કમળનું એક આગવું જ મહત્વ છે. દેવી લક્ષ્મીજીનું (goddess lakshmi) તો આસન પણ કમળ જ છે. અને દેવી સ્વયં પણ કમળપુષ્પ અર્પણ કરવાથી પ્રસન્ન થનારા છે. દેવીની આ કમળ પ્રિયતાને લીધે જ તેમને દેવી કમળા અને ભગવાન વિષ્ણુને (Lord vishnu) કમળાપતિના નામે પૂજવામાં આવે છે. પણ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે શ્રીવિષ્ણુને અર્પિત થતાં 56 ભોગ (56 bhog) સાથે પણ આ કમળ પુષ્પનો ગાઢ નાતો રહેલો છે.

શ્રીવિષ્ણુનો આઠમો અવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. અને આ શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલી છે. દ્વારકામાં વિદ્યમાન દ્વારિકાધીશ હોય કે પછી ડાકોરમાં બિરાજમાન રણછોડરાય હોય, પ્રભુના આ દિવ્ય સ્વરૂપોને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ૫૬ ભોગ માટે ૭૦ ડબ્બા શુદ્ધ ઘી, ૨૫૦ કિલો મેંદો, ૫૦ ગુણી ખાંડ, મોટી માત્રામાં સૂકામેવા તેમજ અન્ય પૂરક સામગ્રી વપરાય છે. પ્રભુને અર્પણ કરવા માટે છપ્પન પ્રકારની સામગ્રીનું નિર્માણ થતું હોઈ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવામાં આવે છે. અને આ ૫૬ ભોગ સાથે કમળનું પુષ્પ કઈ રીતે સંકળાયેલું છે, તે આજે આપને જણાવીએ.

એક અન્ય માન્યતા અનુસાર, ગૌલોક ધામમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધિકાજી સાથે એક દિવ્ય કમળ પર બિરાજે છે. આ કમળના 3 સ્તર હોય છે. જેમાં પ્રથમ સ્તરમાં 8, બીજા સ્તરમાં 16 અને ત્રીજા સ્તરમાં 32 પાંખડીઓ હોય છે. દરેક પાંખડી પર એક પ્રમુખ સખી વિદ્યમાન હોય છે અને મધ્યમાં ભગવાન સ્વયં બિરાજે છે. આ રીતે કમળ પુષ્પની કુલ પાંખડીઓની સંખ્યા 56 હોય છે. ત્યારે છપ્પન ભોગની 56 સંખ્યાનો અર્થ એ જ થાય છે કે, તેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સખીઓ સાથે તૃપ્ત થાય છે !

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અન્ય એક માન્યતા અનુસાર ‘કમળ’ એ બ્રહ્મનું પ્રતિક છે. તેના ત્રણ સ્તર એ ત્રણ લોકનું પ્રતિક છે. પુષ્પની પ્રથમ સ્તરની આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. બીજા સ્તરની સોળ પાંખડી એ સોળ શણગાર અને સોળ કળાનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતની બત્રીસ પાંખડી એ શરીરના બત્રીસ કોઠાનો નિર્દેશ કરે છે.

56 ભોગમાં પંજરીના પ્રસાદની સાથે સાથે અનાજ, ફ્રૂટ્સ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પીણા, નમકીન અને અથાણા જેવી ચીજો પણ સામેલ હોય છે. મોટાભાગે લોકો 20 પ્રકારની મીઠાઈઓ, 16 પ્રકારના નમકીન અને 20 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ધરાવે છે. માખણ, ખીર, બદામનું દૂધ, ટિક્કી, મગની દાળનો હલવો, જલેબી, રબડી, મઠરી, માલપુઆ, મોહનથાળ, ચટણી, ભજિયા, ખીચડી, પૂરી, ગળ્યો ભાત, દાળ, બટાકાનું શાક, પાપડ, દહીં, કઢી, ઘેવર, ચિલ્લા, રીંગણનું શાક વગેરે 56 ભોગમાં મુખ્ય હોય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">