AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરના બાથરૂમ સાથે જોડાયેલી આ ભૂલ બની શકે છે આર્થિક નુકસાનનું કારણ ! જાણી લો બાથરૂમ સંબંધિત વાસ્તુ નિયમ

માન્યતા અનુસાર જો તમે બાથરૂમ (bathroom) સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો આપને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બાથરૂમનો ઉપયોગ કરતા સમયે કરેલી કેટલીક ભૂલો પણ આપના ધનની હાનિનું કારણ બની શકે છે !

ઘરના બાથરૂમ સાથે જોડાયેલી આ ભૂલ બની શકે છે આર્થિક નુકસાનનું કારણ ! જાણી લો બાથરૂમ સંબંધિત વાસ્તુ નિયમ
TV9 Bhakti
| Edited By: | Updated on: May 15, 2023 | 6:23 AM
Share

ઘરના દરેક ભાગની જેમ જ ઘરના બાથરૂમ માટે પણ વાસ્તુ  માં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમાં બાથરૂમની દિશા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ તેમાં કઇ વસ્તુઓ રાખવી અને કઇ ન રાખવી તેવા નિયમો જણાવવામાં આવ્યા છે.

માન્યતા અનુસાર જો તમે બાથરૂમ સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા તો આપને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. બાથરૂમનો ઉપયોગ કરતા સમયે કરેલી કેટલીક ભૂલો પણ આપના ધનની હાનિનું કારણ બની શકે છે ! તો ચાલો, જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર સંબંધિત તે કયા નિયમો છે કે જેનું પાલન કરવું અત્યંત જરૂરી મનાય છે.

બાથરૂમના વાસ્તુ નિયમ !

⦁ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સ્નાન બાદ બાથરૂમને ગંદુ ન રાખવું જોઈએ. નહીંતર તે આપને કંગાળ બનાવી દે છે ! બાથરૂમની ગંદકી અને તેની ખોટી જગ્યા રાહુ-કેતુ જેવા ગ્રહોને પ્રભાવિત કરે છે. એટલે ક્યારેય બાથરૂમને ગંદુ ન રાખવું. એ જ રીતે બાથરૂમમાં ભીના કપડા પણ ન રાખવા જોઈએ. નહાયા પછી બાથરૂમને એકદમ સુકવીને સાફ કરી દેવું. તેનાથી આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે. જો તમે બાથરૂમને ભીનું કે ગંદુ રાખો છો, તો તમને રાહુ, કેતુ અને શનિગ્રહના પ્રકોપનો સામનો કરવો પડે છે.

⦁ બાથરૂમમાં રહેલ નળનું પાણી સતત ટપકવાથી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ રીતે પાણીનો બગાડ થવાથી પરિવારના ધન અને સન્માનને પણ હાનિ પહોંચે છે. વાસ્તવમાં તો ઘરમાં રહેલ કોઇપણ નળમાંથી પાણી ટપકવું ન જોઇએ. નહીંતર આપે તેનું બહુ મોટું નુકસાન ભોગવવું પડે છે.

⦁ બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન રાખવી જોઈએ. સ્નાન બાદ તેમાં જરૂરથી પાણી ભરી રાખવું જોઈએ. તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાયેલ રહે છે.

⦁ વાળ ધોયા પછી કેટલાક વાળ તૂટીને બાથરૂમમાં પડે છે. જેને સ્નાન બાદ તરત જ સાફ કરી દેવા જોઇએ.

⦁ સ્નાન પૂર્વે જ ગંદા અને પહેરેલા કપડા ધોઇ લેવા જોઇએ. સ્નાન બાદ ગંદા અને પહેરેલા કપડા ધોવાથી આપની આર્થિક સ્થિતિને અસર પહોંચી શકે છે. તેનાથી તમારો સૂર્ય નબળો થાય છે. સૂર્ય નબળો થવાને કારણે વ્યક્તિને ધનની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ પરિવારમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
g clip-path="url(#clip0_868_265)">