
જો તમારા ઘરમાં ખૂબ લાંબા સમય પછી કોઈ વસ્તુ અકસ્માતે પડીને તૂટી જાય તો તે સામાન્ય બાબત છે, પરંતુ જો આવું રોજબરોજ થઈ રહ્યું હોય તો તેની પાછળ વાસ્તુ દોષ અને કુંડળીમાં ગ્રહોની નકારાત્મક અસર હોઈ શકે છે. ઘરમાં મોજૂદ નેગેટિવ એનર્જી અથવા કુંડળીમાં અશુભ ગ્રહોની સ્થિતિને કારણે કાચના વાસણો, અરીસો કે ઈલેક્ટ્રોનિક સામાન વારંવાર તૂટી શકે છે. જો કુંડળીમાં શનિ અને રાહુની સ્થિતિ નબળી હોય, તો આવી અણધારી ઘટનાઓ એક પછી એક બનતી રહે છે. ચાલો જાણીએ કે શનિ અને રાહુ નબળા હોવાથી શું અસરો થાય છે અને તેને શાંત કરવાના ઉપાયો કયા છે.
જો તમારી કુંડળીમાં શનિ નબળો કે અશુભ સ્થિતિમાં હોય, તો ઘરમાં બિનજરૂરી આર્થિક નુકસાન થઈ શકે છે. શનિની ખરાબ સ્થિતિમાં ઘરમાં ક્રોકરી અને કાચના વાસણો જેવી નાજુક વસ્તુઓ સહેલાઈથી તૂટી જતી હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને ‘છાયા ગ્રહ’ કહેવામાં આવે છે. રાહુ નબળો હોવા પર વ્યક્તિના જીવનમાં અણધારી મુશ્કેલીઓ આવીને ઊભી રહે છે. કિંમતી વસ્તુઓ વારંવાર ખોવાઈ જવી કે અચાનક નુકસાન થવું એ નબળા રાહુના મુખ્ય લક્ષણો છે. ઘરમાં ટીવી, મિક્સર અને રેફ્રિજરેટર જેવા ઈલેક્ટ્રોનિક સાધનો વારંવાર બગડી જાય, તો તે પણ રાહુના નકારાત્મક પ્રભાવના કારણે હોઈ શકે છે. ઘડિયાળનું વારંવાર અટકી જવું કે બગડી જવું એ પણ રાહુ દોષનો જ સંકેત છે.
જો તમારા ઘરમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી હોય, તો કેટલાક સરળ જ્યોતિષીય અને વાસ્તુ સંબંધી ઉપાયો તાત્કાલિક અપનાવવા જોઈએ: