Shravan-2021: એક મુખી અને બે મુખી રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલાં આ બાબતોનું ચોક્કસથી રાખજો ધ્યાન

વૈવાહિક જીવનમાં સંતુલન જાળવવા માટે વ્યક્તિ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. શાસ્ત્રો મુજબ, આ રુદ્રાક્ષ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર આ મણકા પર રાજ કરે છે.

Shravan-2021: એક મુખી અને બે મુખી રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલાં આ બાબતોનું ચોક્કસથી રાખજો ધ્યાન
વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવશે દ્વિમુખી રુદ્રાક્ષ
| Edited By: | Updated on: Aug 17, 2021 | 12:53 PM

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

રુદ્રાક્ષના (rudraksha) વિવધ પ્રકાર છે. સામાન્ય રીતે વિવિધ કામનાઓ અનુસાર વિવિધ મુખી રુદ્રાક્ષને ધારણ કરવાની પ્રથા છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે એક મુખી અને બે મુખી રુદ્રાક્ષ કોણ ધારણ કરી શકે ? એટલું જ નહીં, તેને ધારણ કરતાં પૂર્વે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે !

એક મુખી રુદ્રાક્ષ
હિન્દુ શાસ્ત્રો મુજબ એક મુખી રુદ્રાક્ષ માત્ર એક ચહેરો ધરાવે છે અને તે ભગવાન શિવનું નિકટવર્તી સ્વરૂપ છે. જ્યોતિષવિદ્યાના ક્ષેત્રમાં, તે સૂર્ય દ્વારા શાસન કરે છે અને વ્યક્તિના આત્મા-અંતરાત્માને જાગૃત કરનાર મધ્યસ્થી તરીકે ઓળખાય છે. તેની અસરથી વ્યક્તિ પોતાની અંદર આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો પ્રાપ્ત કરે છે.
પહેરવાની પ્રક્રિયાઃ
⦁ એક મુખી રુદ્રાક્ષને શુદ્ધ કરવા માટે તેના પર થોડુ ગંગાજળ અથવા દૂધ છાંટો.
⦁ હવે, દીવો અને અગરબત્તી પ્રગટાવી અને સફેદ ફૂલો અર્પણ કરીને ભગવાન શિવની પૂજા કરો.
⦁ હવે ‘ૐ હ્રીં નમ:’ મંત્રનો 108 વાર જાપ કરો.
⦁ તમે સૂર્ય બીજ મંત્રનો જાપ પણ કરી શકો છો. ‘ૐ હ્રાં હ્રીં હ્રૌં સૌર્ય નમ:’નો 108 વખત જાપ કરીને રુદ્રાક્ષ ધારણ કરી શકો છો.
આ પછી, રવિવારે વહેલી સવારે અથવા કૃતિકા, ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરાષાદ નક્ષત્ર દરમિયાન પણ આ રુદ્રાક્ષ પહેરવો શુભ માનવામાં આવે છે.

બે મુખવાળો રુદ્રાક્ષ
વૈવાહિક જીવનમાં સંતુલન જાળવવા માટે વ્યક્તિ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. શાસ્ત્રો મુજબ, આ રુદ્રાક્ષ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર આ મણકા પર રાજ કરે છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય, તો તમે તેના સ્થાનને મજબૂત કરવા અને ફળદાયી પરિણામ પ્રાપ્ત કરવા માટે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ ઇચ્છિત પરિણામ માટે બે મુખી રુદ્રાક્ષની પૂજા સાથે તેને શણગારવો જોઈએ. આ રુદ્રાક્ષ ડાબી આંખ, ફેફસાં, હૃદય અને મગજ સંબંધિત રોગોથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે.

પહેરવાની પ્રક્રિયાઃ
⦁ વ્યક્તિએ સફેદ કે કાળા દોરા અથવા સોના અથવા ચાંદીની સાંકળમાં દ્વિમુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ.
⦁ આ રુદ્રાક્ષ પહેરતા પહેલા તેને ગંગાજળ અથવા પાણીથી શુદ્ધ કરો.
⦁ ભગવાન શિવ-માતા પાર્વતીની પૂજા કરો અને તેમને સફેદ ફૂલ અર્પણ કરો.
⦁ હવે, ચંદ્ર બીજ મંત્ર “ૐ શ્રાં શ્રીં શ્રૌં સહ ચંદ્રમસે નમઃ ।” નો 108 વખત જાપ કરો.
⦁ તમે 108 વખત રુદ્રાક્ષ મંત્ર “ૐ નમઃ ।”નો જાપ પણ કરી શકો છો અને માળા ધારણ કરી શકો છો.
આ પછી, તમે સોમવારે અથવા હસ્ત, રોહિણી, શ્રાવણ નક્ષત્ર દરમિયાન આ રુદ્રાક્ષ ધારણ કરી શકો છો.

આ પણ વાંચો : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !

આ પણ વાંચો : દર્શન માત્રથી કામનાઓને પૂર્ણ કરનાર મનાય છે આ ‘કામના લીંગ’ ! જાણો, વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો મહિમા

Follow Us
Loading...
Unable to load recommendations.