Shefali Jariwala ના અકાળ મૃત્યુ માટે આ 3 ગ્રહો જવાબદાર, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી?, જુઓ Video

Shefali Jariwala Death Prediction: 27 જૂનના રોજ 'કાંટા લગા' ગીતથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું. શેફાલીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ થોડા મહિના પહેલા પારસ છાબડાએ પોતાના પોડકાસ્ટમાં શેફાલી વિશે એક ભવિષ્યવાણી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની કુંડળીમાં ત્રણ ગ્રહોનું અશુભ સંયોજન બની રહ્યું છે, જેના કારણે તેમની ભાવિ યાત્રા સરળ નહીં રહે.

Shefali Jariwala ના અકાળ મૃત્યુ માટે આ 3 ગ્રહો જવાબદાર, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી?, જુઓ Video
Shefali Jariwala s Death Astrologer s Prediction
| Updated on: Jun 29, 2025 | 5:00 PM

27 જૂનના રોજ અભિનેત્રી શેફાલી જરીવાલનું 42 વર્ષની વયે અવસાન થયું. અહેવાલો અનુસાર તેણે મુંબઈ સ્થિત તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેના પતિ પરાગ ત્યાગીએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેણે મૃત જાહેર કરી હતી. શેફાલીના અકાળ મૃત્યુથી સમગ્ર ઉદ્યોગમાં શોકનું મોજું છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે આટલી ફિટ હોવા છતાં શેફાલીને હૃદયરોગનો હુમલો કેવી રીતે આવી શકે?

શેફાલીની કુંડળીમાં અશુભ યોગ બની રહ્યો હતો

આ દરમિયાન પારસ છાબડાના પોડકાસ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, પારસ કહી રહ્યો છે કે તેણે શેફાલીની કુંડળી જોઈ છે, જેમાં એક અશુભ યોગ બની રહ્યો છે. આ સાથે તેણે તે યોગથી થતા ભય વિશે પણ જણાવ્યું છે.

પારસ છાબડાએ ભવિષ્યવાણી કરી હતી

પારસ કહે છે કે ‘તમારી જન્મકુંડળીના 8મા ઘરમાં ચંદ્ર, બુધ અને કેતુ હાજર છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચંદ્ર અને કેતુનું સંયોજન શુભ નથી. ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે, જ્યારે કેતુ એક અશુભ ગ્રહ છે. કુંડળીનું 8મું ઘર નુકસાનનું છે, જેના કારણે અકાળ મૃત્યુ, બદનામી, નુકસાન અને તંત્ર-મંત્રમાં ફસાઈ જવાનું જોખમ વધે છે.’ વધુમાં તેમણે કહ્યું કે ‘ચંદ્ર અને બુધનું મિલન પણ શુભ નથી.’

ચંદ્ર, બુધ અને કેતુના જોડાણનો પ્રભાવ

ચંદ્ર, બુધ અને કેતુનો જોડાણ (એક રાશિ અથવા ઘરમાં ભેગા થવું) એક મહત્વપૂર્ણ જ્યોતિષીય ઘટના છે. ચંદ્રને મન, લાગણીઓ અને માનસિક શક્તિનો દાતા માનવામાં આવે છે, જ્યારે ભગવાન બુધ બુદ્ધિ, સંદેશાવ્યવહાર, વ્યવસાય અને તર્કનું પ્રતિનિધિત્વ કરે છે. કેતુ એક “છાયા ગ્રહ” છે જે એકલતા, આધ્યાત્મિકતા અને રહસ્યવાદનું પ્રતીક માનવામાં આવે છે.

જે લોકોની કુંડળીમાં ચંદ્ર, બુધ અને કેતુનો કોઈ પણ રાશિમાં યુતિ હોય અથવા આ ત્રણેય ગ્રહો કોઈપણ રાશિમાં એકસાથે હાજર હોય તો તેનો અશુભ પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. ખાસ કરીને અકાળ મૃત્યુની શક્યતા રહે છે.

અકાળ મૃત્યુનું જોખમ ક્યારે વધે છે?

  • જન્મ કુંડળીના આઠમા ઘરમાં રાહુ, કેતુ અને શનિનું મિલન પણ અકાળ મૃત્યુની શક્યતા ઊભી કરે છે.
  • બીજી બાજુ, જે લોકોની કુંડળીમાં મંગળ અને રાહુ એકસાથે હાજર હોય અથવા તેમની દૃષ્ટિ એકબીજા પર પડે, તો અકાળ મૃત્યુની શક્યતા વધી જાય છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..