AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Chalisa : દરરોજ આ ઉપાયો કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે, જીવનના તમામ પ્રકારના દુ:ખ દુર થશે

Hanuman Chalisa : હનુમાનજી આ કળયુગમાં જાગૃત દેવ છે. જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા હોય છે તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

Hanuman Chalisa : દરરોજ આ ઉપાયો કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે, જીવનના તમામ પ્રકારના દુ:ખ દુર થશે
Hanuman Chalisa
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 4:07 PM
Share

હનુમાનજી આ કળયુગમાં જાગ્રત દેવ છે. જે વ્યક્તિ પર હનુમાનજીની કૃપા હોય છે તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હનુમાનજીની કૃપા મેળવવા માટે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સમસ્યા દૂર થાય છે.

હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત છે. આ વાતનું વર્ણન હનુમાન ચાલીસામાં પણ કરવામાં આવ્યું છે. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘણા ફાયદા થાય છે. ચાલો આજે જાણીએ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી થતા ફાયદાઓ. હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનને સંબોધિત એક ભક્તિ સ્તોત્ર છે. હનુમાન ચાલીસા 17મી સદીમાં તુલસીદાસજી દ્વારા લખવામાં આવી હતી, જેમણે તેને અવધી ભાષામાં લખી હતી.

આત્મવિશ્વાસ વધે છે

સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. ઘણા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે, જેના કારણે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે.

ભયથી મુક્તિ મળે છે

દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભયમાંથી મુક્તિ મળે છે. જીવનમાં ઘણી વખત વ્યક્તિ નાની-નાની બાબતોથી પણ ડરવા લાગે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોઈ વાતનો ડર રહેતો નથી.

નાણાકીય સમસ્યાઓથી મુક્તિ મળે

હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે. જો તમે દેવાથી પરેશાન છો તો દરરોજ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.

કાર્યોમાં અડચણ આવતી નથી

રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કામમાં કોઈ અડચણ આવતી નથી. વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. જે વ્યક્તિ નિયમિતપણે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની રક્ષા હનુમાનજી સ્વયં કરે છે.

રોગોથી છુટકારો મેળવો

દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા રોગ પણ દૂર થઈ શકે છે. જે વ્યક્તિ રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે રોગોથી દૂર રહે છે.

મનોકામના પૂર્ણ થાય છે

હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હનુમાનજીના ભક્તો પર કોઈપણ પ્રકારની ખરાબ નજર નથી પડતી.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :Hanuman Chalisa In Gujarati: કવિ તુલસીદાસ દ્વારા રચિત હનુમાન ચાલીસાના lyrics

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">