આજે મંગળવારે છે ‘પુષ્ય નક્ષત્ર’, હનુમાનજીની પૂજા કરવાનો બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ

|

Jan 18, 2022 | 6:30 AM

Pushya Nakshatra In January 2022: 18 જાન્યુઆરી, 2022, મંગળવાર આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. પંચાંગ અનુસાર બપોરે 4:06 વાગ્યા સુધી વિશ્વકુંભ યોગ રહેશે. આ પછી પ્રીતિ યોગ શરૂ થશે.

આજે મંગળવારે છે પુષ્ય નક્ષત્ર, હનુમાનજીની પૂજા કરવાનો બની રહ્યો છે ખૂબ જ શુભ યોગ
Lord Hanuman Puja

Follow us on

મંગળવાર (Tuesday) હનુમાનજી (Hanumanji) ને સમર્પિત છે. પંચાંગ અનુસાર, 18 જાન્યુઆરી, 2022 ના રોજ, મંગળવાર ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ છે (Pushya Nakshatra). આ દિવસથી મહા માસની શરૂઆત થઈ રહી છે. હિન્દુ ધર્મમાં મહા મહિનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માઘ મહિનામાં કરવામાં આવતી પૂજા અને દાન વિશેષ પુણ્ય આપે છે. મંગળવારથી મહા માસનો પ્રારંભ થઈ રહ્યો છે. પંચાંગ અનુસાર 18 જાન્યુઆરી એ મહા મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર રહેશે. મંગળવારે વિશ્વકુંભ યોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. મંગળવારે બપોરે 3.10 થી 4.29 સુધી રાહુકાલ રહેશે. રાહુ કાળમાં શુભ કાર્ય થતું નથી.

પુષ્ય નક્ષત્રમાં હનુમાન પૂજાનું મહત્વ (Pushya Nakshatra In January 2022)

પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ નક્ષત્ર માનવામાં આવે છે. નવા કાર્યોની શરૂઆત કરવા ઉપરાંત પૂજા કરવા માટે પણ આ નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.

હનુમાનજીની પૂજાનો યોગ (Hanumanji Puja)

18 જાન્યુઆરી, 2022, મંગળવાર આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. પંચાંગ અનુસાર બપોરે 4:06 વાગ્યા સુધી વિશ્વકુંભ યોગ રહેશે. આ પછી પ્રીતિ યોગ શરૂ થશે. બંને યોગમાં હનુમાનજીની પૂજા કરી શકાય છે. આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. હનુમાનજીની પૂજા કરવાથી શનિના દોષ પણ દૂર થાય છે. જે લોકો પર મહાદશા, અંતર્દશા, શનિની સાડાસાતી અને ઢૈય્યા ચાલી રહી છે. હનુમાનજીની પૂજાથી પણ તેમને લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ હનુમાન ભક્તોને પરેશાન કરતા નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો: Vastu Tips: ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર કરવા અપનાવો વાસ્તુના આ સાત સરળ ઉપાય

આ પણ વાંચો: Shiva abhishek: તમે કેવી રીતે મહાદેવને અર્પણ કરો છો જળ ? જાણો, મહેશ્વર પર જળાભિષેકની સાચી રીત

Next Article