
પ્રેમાનંદજી મહારાજના વિચારો અને પ્રવચનો લોકોને સાચા માર્ગ પર ચાલવાનું માર્ગદર્શન આપે છે. પ્રેમાનંદ મહારાજ માને છે કે આપણે જીવનમાં આવનારી કેટલીક મુશ્કેલીઓનો આપણી ખુદની ભૂલોને કારણે હોય છે. ઘણીવાર, આપણે અજાણતાં જ ખૂબ જ અંગત બાબતો બીજાઓને જણાવીએ છીએ; પરિણામે, આપણા પ્રયત્નો નિષ્ફળ જવા લાગે છે, અને આપણે બીજાઓની દુષ્ટ નજર અથવા નકારાત્મક ઉર્જાનો શિકાર બનીએ છીએ. તેમના એક પ્રવચનમાં, પ્રેમાનંદ મહારાજે એવી સાત બાબતો પર પ્રકાશ પાડ્યો હતો જે હંમેશા ગુપ્ત રાખવી જોઈએ જેથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે.
મહારાજનું કહેવુ છે કે તમારા જીવનના મોટા લક્ષ્યો અને ભવિષ્યની યોજનાઓ સંપૂર્ણપણે સાકાર ન થાય ત્યાં સુધી કોઈની સાથે શેર ન કરો. તમારા ઇરાદાઓને અકાળે જાહેર કરવાથી તમારા પ્રયત્નોમાં અવરોધો આવી શકે છે.
આજના સમયમાં, દરેક વ્યક્તિ વિશ્વાસને લાયક નથી. પ્રેમાનંદજીના મતે, ક્યારેય પણ તમારી નબળાઈઓ કોઈ અવિશ્વાસુ વ્યક્તિ કે બહારના વ્યક્તિને જાહેર ન કરો. જ્યારે તક મળે, ત્યારે લોકો આ નબળાઈનો અયોગ્ય લાભ લઈ શકે છે.
પતિ-પત્ની વચ્ચેના સંબંધો અને પરિવારની અંદરની વાતો હંમેશા ઘરની ચાર દિવાલની અંદર જ રહેવી જોઈએ. આ વાતોને બીજાને કહેવાથી અંતર વધે છે અને બહારના લોકોની બુરી નજર પણ લાગે છે.
તમારી અંગત સમસ્યાઓ અને દુ:ખ દરેકને જણાવવાથી બચવુ જોઈએ, મહારાજ કહે છે કે દુનિયામાં મોટાભાગના લોકો તમારા દુ:ખને મજાક બનાવશે અને તેનો લાભ ઉઠાવશે. તમારી તકલિફો માત્ર ભગવાન સમક્ષ રાખો.
ધન સંપત્તિ અને સફળતાને જેટલી શાંત અને છુપાવીને રાખવામાં આવે, એટલુ સારુ હોય છે. પૈસા કે તરક્કીનો જરૂરથી વધુ દેખાડો કરવાથી લોકોને તમારા પ્રત્યે ઈર્ષા આવે છે, જે નકારાત્મક્તા ને આવકારે છે.
ભક્તિનું પ્રદર્શન ક્યારેય ન કરવુ જોઈએ. પ્રેમાનંદ મહારાજના અનુસાર ઈશ્વરની આરાધના હંમેશા સાચા અને શાંત મનથી એકાંતમાં કરવી જોઈએ, પૂજા પાઠ અને દાન-પૂણ્ય નો દેખાડો કરવાથી તેનો આધ્યાત્મિક ફળ નષ્ટ થઈ જાય છે.
જો તમે કોઈની મદદ કરી હોય કે કોઈ નેક કામ કર્યુ હોય તો તેનો શોર ન મચાવો. મહારાજ જણાવે છે કે ગુપ્ત રીતે કરવામાં આવેલા સારા કર્મ અને સેવા ભાવ જ ભગવાનને સૌથી વધુ પ્રિય હોય છે અને તેનુ શુભ ફળ મળે છે.