
મૂળાંક વ્યક્તિની જન્મ તારીખના આધારે નક્કી કરવામાં આવે છે. જે અંકશાસ્ત્રમાં વ્યક્તિનો સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર મુ્જબ, 8 નંબર ધરાવતા લોકો ખાસ હોય છે. કોઈપણ મહિનાની 8મી, 17મી કે 26મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 8 હોય છે. આ લોકો પર શનિદેવની ખાસ કૃપા હોય છે.
મૂળાંક 8 નંબર ધરાવતા લોકો સ્વભાવના સારા હોય છે. આ મુળાંકના લોકો ખૂબ જ શાંત, ગંભીર અને નિર્દોષ સ્વભાવના હોય છે. તેઓ ધીમે ધીમે મહેનત કરીને સફળતાની ઊંચાઈઓને હાંસલ કરે. 8 અંક ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને સખત મહેનત દ્વારા પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. એકવાર લક્ષ્ય નક્કી કરી લે તો તેને પ્રાપ્ત કર્યા વિના સંતોષ માનતા નથી. 8 અંક ધરાવતા લોકો ધીરજથી મુશ્કેલીઓનો સામનો કરે છે. આ લોકોને શૈક્ષણિક ક્ષેત્રમાં થોડો સંઘર્ષ કરવો પડે છે.
જ્યોતિષ મુજબ, મૂળાંક 8નો સ્વામી શનિ ગ્રહ છે. તેથી, 8 અંક ધરાવતા લોકો હંમેશા શનિના આશીર્વાદ પામે છે. શનિના આશીર્વાદથી, તેમને ક્યારેય તેમના જીવનમાં કોઈ ખરાબ નબળાઈનો અનુભવ થતો નથી. તેમનું નાણાકીય જીવન ખૂબ સારું હોય છે. આ લોકોમાં બચત કરવાની સારી વૃત્તિ હોય છે. આ લોકો ક્યારેય બિનજરૂરી ખર્ચ કરતા નથી. 8 અંક ધરાવતા લોકો પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. આ લોકોના મિત્ર ઓછા હોય છે જે મિત્રો હોય તે ખૂબ જ સાચા હોય છે.
8 અંક ધરાવતા લોકો પ્રેમ સંબંધમાં ભાગ્યશાળી નથી હોતા. તેમના પ્રેમ સંબંધ લાંબા સમય સુધી ટકતા નથી. સંબંધીઓ ઘણીવાર તેમને દગો આપે છે. તેમના જીવનસાથીથી અલગ થવાની સંભાવના રહે છે.
આ મૂળાંકના લોકોને ગુસ્સો જલ્દી આવી શકે છે. તેમના માટે તેમનો ગુસ્સો કાબૂમાં રાખવો ઘણીવાર મુશ્કેલ હોય છે. આ લોકો પોતાના નિર્ણય પોતે લેવાનું પસંદ કરે છે. આ લોકો હંમેશા બીજાની સલાહ માનતા નથી.
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.