
જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહ છે અને દરેક ગ્રહના પોતાના ગુણધર્મો હોય છે. સાથે જ દરેક કુંડળી અનુસાર ગ્રહનો પ્રભાવ પણ અલગ-અલગ હોય છે. એટલા માટે લોકો કુંડળી બતાવીને જરૂરી ઉપાયો કરે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવવાના પ્રયાસો કરે છે.
જો કે, ઘણા લોકો એવા પણ હોય છે જેમને પોતાની જન્મ તારીખની ખબર નથી હોતી અથવા સાચો સમય ખબર નથી હોતો. આવી સ્થિતિમાં એ જાણી શકાતું નથી કે, વ્યક્તિએ કયા ગ્રહની પૂજા કરવી જોઈએ અથવા ઉપાય કરવા જોઈએ; જેનાથી તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવે. જો આવું જ કંઈક તમારી સાથે પણ છે અથવા તમે કુંડળી બતાવવા નથી માંગતા, તો માત્ર એક ગ્રહના ઉપાય તમારા જીવનને સકારાત્મક રીતે બદલી શકે છે.
તમામ 9 ગ્રહમાં ‘ગુરુ ગ્રહ’ને સૌથી વધુ શુભ ફળ આપનારો ગ્રહ માનવામાં આવે છે. કુંડળી જોયા વગર પણ જો તમે આ ગ્રહની પૂજા કરો અને તેનાથી જોડાયેલા ઉપાયો કરો તો તમને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આની પાછળ કેટલાક મહત્વપૂર્ણ જ્યોતિષીય કારણો પણ છે.
તમને જણાવી દઈએ કે, કુંડળીના દરેક ભાવનો કોઈ ને કોઈ કારક ગ્રહ હોય છે. ‘ગુરુ’ કુંડળીના સૌથી મહત્વપૂર્ણ ભાવને નિયંત્રિત કરે છે. ધન ભાવના બીજા ભાવ, સંતાન અને પ્રેમભર્યા સંબંધોના પાંચમા ભાવ, ભાગ્ય અને શિક્ષણના નવમા ભાવ, કરિયર અને પ્રતિષ્ઠાના દસમા ભાવ તેમજ લાભના અગિયારમા ભાવનો કારક ગ્રહ ગુરુ છે.
આવી સ્થિતિમાં ‘ગુરુ’ કરિયર, લાભ, પારિવારિક સુખ, સંતાન, ધન વગેરે દરેક ભાવને નિયંત્રિત કરનારો ગ્રહ છે. તેથી, જો કોઈ વ્યક્તિ કુંડળી જોયા વગર પણ ગુરુના ઉપાય કરે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે, કુંડળી જોયા વગર પણ જો તમે ગુરુની આરાધના કરો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો.