Navratri Colours 2023 : નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાની આરાધના કરતી વખતે રોજ આ નવ રંગના પહેરો વસ્ત્ર, જાણો વિવિધ દિવસોને લગતા કલર

|

Oct 04, 2023 | 3:39 PM

નવરાત્રી એ હિન્દુ ધર્મનો ખૂબ જ વિશિષ્ટ તહેવાર છે. આ તહેવાર સમગ્ર દેશમાં વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે - ચૈત્ર (માર્ચ-એપ્રિલ) અને શરદ (ઓક્ટોબર-નવેમ્બર) મહિનામાં. નવરાત્રીમાં આ વર્ષે 2023માં નવરાત્રીના રંગોનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિવિધ રંગોથી પૂજા કરવાથી દેવીના આશીર્વાદ મળે છે. આ રંગોને ધ્યાનમાં રાખીને પૂજા પદ્ધતિનું પાલન કરવાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. આ ઉપરાંત, આ તહેવારની ઉજવણી માટે, કેટલાક લોકો નવરાત્રીના 9 રંગ અનુસાર તેમના ઘરના મંદિરને પણ શણગારે છે. ભારતીય ઘરોમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

Navratri Colours 2023 : નવરાત્રીના 9 દિવસ મા દુર્ગાની આરાધના કરતી વખતે રોજ આ નવ રંગના પહેરો વસ્ત્ર, જાણો વિવિધ દિવસોને લગતા કલર

Follow us on

દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જો કે, આ તહેવાર ઉજવવાનું સૌથી મહત્વનું કારણ દેવી કાલી અથવા દુર્ગાના વિજયની ઉજવણી છે. નવરાત્રી પર, સ્ત્રીઓ નવ દિવસ માટે ઉપવાસ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે અને મિત્રો અને પરિવારની મુલાકાત લે છે. નવરાત્રીનો તહેવાર દેશભરની લાખો મહિલાઓ દ્વારા ઉજવવામાં આવે છે, જેઓ ઘરે નવરાત્રીની ઉજવણી કરતી વખતે વિવિધ ખાદ્યપદાર્થો બનાવે છે.

અહીં અમે 2023ની નવરાત્રીના 9 રંગ વિશે જણાવ્યું છે , જે તમારે જાણવું જોઈએ. નવરાત્રીના 9 દિવસ દરરોજ આમાંથી કોઈ એક રંગમાં તૈયાર થવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. નવરાત્રીના અંત સુધી દરરોજ આ 9 રંગના કપડાં પહેરવા સહિત તમારા ઘરના મંદિરની સજાવટ માટે આ થીમ રાખવી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

આગળ વધતા પહેલા તમને જણાવી દઈએ કે શરદ નવરાત્રી 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 વચ્ચે ઉજવવામાં આવશે. તેથી, નવરાત્રી પર તમારા ઘરના મંદિરને શણગારો અને નવરાત્રીના રંગ 2023 મુજબ દરરોજ અલગ-અલગ રંગના કપડાં પહેરવાનું ભૂલશો નહીં.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

તમને જણાવી દઈએ કે આ વખતે શરદ નવરાત્રી 2023 15 ઓક્ટોબર 2023 થી 24 ઓક્ટોબર 2023 સુધી ઉજવવામાં આવશે. 24મી ઓક્ટોબરે દશેરા છે. તેથી, હવેથી નવરાત્રી પર તમારા ઘરના મંદિરને સજાવો અને નવરાત્રી 2023ના રંગો અનુસાર દરરોજ અલગ-અલગ રંગના કપડાં પહેરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો : Astrology and Yog: શું તમારી કુંડળીમા વકીલ બનવાના યોગ છે? કઈ રીતે જાણશો આ યોગને ? જુઓ Video

નવરાત્રીના 9 રંગ અને તેમનું મહત્વ

અહીં શરદ નવરાત્રીના 9 રંગ એ ક્રમમાં આપવામાં આવ્યા છે કે જેને મા દુર્ગાની પૂજા કરતી વખતે પહેરવા જોઈએ.

  • નવરાત્રીનો પ્રથમ દિવસ (15 ઓક્ટોબર 2023) – નારંગી
  • નવરાત્રીનો બીજો દિવસ (16 ઓક્ટોબર 2023) – સફેદ
  • નવરાત્રીનો ત્રીજો દિવસ (17 ઓક્ટોબર 2023) – લાલ
  • નવરાત્રીનો ચોથો દિવસ (18 ઓક્ટોબર 2023) – રોયલ બ્લુ
  • નવરાત્રીનો પાંચમો દિવસ (19 ઓક્ટોબર 2023) – પીળો
  • નવરાત્રીનો છઠ્ઠો દિવસ (20 ઓક્ટોબર 2023) – લીલો
  • નવરાત્રીનો સાતમો દિવસ (21 ઓક્ટોબર 2023) – બ્રાઉન
  • નવરાત્રીનો આઠમો દિવસ (22 ઓક્ટોબર 2023) – જાંબલી
  • નવરાત્રીનો નવમો દિવસ (23 ઓક્ટોબર 2023) – મોરપીંછ

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:26 pm, Mon, 2 October 23

Next Article