મહાભારત કાળના એક પાત્રએ અફઘાનિસ્તાનને આપ્યો હતો ‘શાપ’, આજે પણ થઇ રહી છે તેની અસર !

|

Apr 02, 2024 | 11:46 AM

મહાભારત કાળમાં અફઘાનિસ્તાન ગાંધાર તરીકે જાણીતું હતું. કથાઓ અનુસાર, મહાભારતના મુખ્ય પાત્રોમાંના એક રાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી ગાંધારની રાજકુમારી હતી. યુદ્ધમાં તેના પુત્રોના મૃત્યુ પછી, ગાંધારીએ શ્રી કૃષ્ણ અને દ્રૌપદી સહિત અન્ય લોકોને શ્રાપ આપ્યો હતો, જેની અસર આજે પણ અફઘાનિસ્તાનમાં જોવા મળે છે.

મહાભારત કાળના એક પાત્રએ અફઘાનિસ્તાનને આપ્યો હતો શાપ, આજે પણ થઇ રહી છે તેની અસર !
Afghanistan

Follow us on

મહાભારત કાળ દરમિયાન ગાંધાર અફઘાનિસ્તાનમાં સ્થિત હતું તે સાબિત કરતી એક હકીકત એ છે કે દેશના એક શહેરને હજુ પણ કંધાર તરીકે ઓળખવામાં આવે છે. આ શબ્દ ગાંધારમાંથી આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ થાય છે ‘સુગંધોની ભૂમિ’. ઋગ્વેદ, મહાભારત અને ઉત્તર-રામાયણ જેવા વિવિધ જૂના ગ્રંથોમાં આ શબ્દનો ઉલ્લેખ છે. સહસ્ત્રનામ અનુસાર, ગાંધાર એ ભગવાન શિવના નામોમાંથી એક છે. એવું પણ માનવામાં આવે છે કે ગાંધારના પ્રથમ રહેવાસીઓ શિવના ભક્ત હતા.

મહાભારત અને કંધાર વચ્ચેનો સંબંધ

ગાંધાર સામ્રાજ્યમાં આજના પૂર્વ અફઘાનિસ્તાન, ઉત્તર પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ પંજાબનો સમાવેશ થતો હતો. મહાભારત એ ઋષિ વેદ વ્યાસ દ્વારા લખાયેલ સંસ્કૃત મહાકાવ્ય છે. તેમાં કૌરવો અને પાંડવ રાજકુમારો વચ્ચેના યુદ્ધની વાર્તાનો સમાવેશ થાય છે. આ લખાણ મુજબ લગભગ 5500 વર્ષ પહેલા ગાંધાર પર રાજા સુબાલાનું શાસન હતું. તેમને ગાંધારી અને શકુની નામના એક પુત્રી અને પુત્ર હતો. તેમની પુત્રીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા હતા, જે હસ્તિનાપુર રાજ્યના રાજકુમાર હતા અને બાદમાં રાજા બન્યા હતા.

ગાંધાર કંધાર બન્યું

મહાભારતની દંતકથા અનુસાર, ગાંધારીને કૌરવો નામના 100 પુત્રો હતા જેમનો પાંડવોના સાથે થયેલા યુદ્ધમાં વિનાસ થયો. યુદ્ધ પછી, જેઓ બચી ગયા તેઓ ગાંધાર સામ્રાજ્યમાં સ્થાયી થયા અને ધીમે ધીમે હાલના સાઉદી અરેબિયા અને ઇરાકમાં સ્થળાંતર થયા. ગાંધાર પ્રદેશમાંથી શિવ ઉપાસકોના ધીરે ધીરે લુપ્ત થતાં અને બૌદ્ધ ધર્મના પ્રસાર સાથે, ગાંધારનું નામ બદલીને કંધાર થઈ ગયું. એટલું જ નહીં, ચંદ્રગુપ્ત, અશોક, તુર્કી વિજેતા તૈમુર અને મુગલ સમ્રાટ બાબર જેવા મૌર્ય શાસકોએ પણ આ પ્રદેશ પર શાસન કર્યું હતું. કદાચ આ શાસકોમાંના એકના શાસન દરમિયાન ગાંધારનું નામ બદલાયું હતું.

પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

અફઘાનિસ્તાન પર ગાંધારીના શ્રાપની અસર

કથાઓ અનુસાર, કૌરવોની માતા ગાંધારીએ ભગવાન કૃષ્ણને શ્રાપ આપ્યો હતો જેના કારણે સમગ્ર દ્વારકા શહેર સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ સાથે ગાંધારીએ તેના ભાઈ શકુનીને પણ શ્રાપ આપ્યો હતો કારણ કે ગાંધારી તેના પુત્રોના મૃત્યુ માટે તેના ભાઈને દોષી માનતા હતા, તેથી ગાંધારીએ શ્રાપ આપ્યો કે તેના 100 પુત્રોની હત્યા કરનાર ગાંધાર રાજા તમારા રાજ્યમાં ક્યારેય શાંતિ નહીં રહે, હંમેશા દુઃખ અને અશાંતિનું વાતાવરણ રહેશે.

એવું માનવામાં આવે છે કે ગાંધારીના આ શ્રાપને કારણે અફઘાનિસ્તાનમાં ક્યારેય શાંતિનો માહોલ નથી. તાલિબાનોએ સત્તા સંભાળી તે પછી અને તે પહેલાં પણ ક્યારેય શાંતિ નહોતી. કહેવાય છે કે આ દેશ કોઈપણ સમયગાળામાં ક્યારેય તણાવ અને સંઘર્ષ વિના રહી શક્યો નથી. આ બધા કારણો પાછળનું કારણ ગાંધારીના શ્રાપની અસર માનવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published On - 10:05 am, Sat, 30 March 24

Next Article