
જો તમે પણ તમારા નજીકના કોઈ સ્વજન, પ્રિયજન કે મિત્રને ગુમાવ્યા હોય અને તે દિવંગત સ્વજનોના તમને સપના આવતા હોય તો એ કોઈ સામાન્ય બાબત નથી. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમને એ સપનામાં કેમ દેખાઈ રહ્યા છે. અથવા તો એમના સ્વપ્ન શા માટે આવી રહ્યા છે?
હિન્દુ શાસ્ત્રોમાં દરેક સ્વપ્નનો એક ચોક્કસ અર્થ જણાવવામાં આવ્યો છે. ત્યાં સુધી કે સ્વપ્ન પર આધારીત એક આખુ શાસ્ત્ર વિદ્રાનો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. જેને સ્વપ્ન શાસ્ત્ર (સ્વપ્નનું વિજ્ઞાન) કહેવામાં આવે છે. આ શાસ્ત્રની અંદર સપનુ આવવા પાછળનો સંકેત અને તેનો હેતુ તેમજ અર્થ વિસ્તારથી જાણવા મળે છે.
જો બીમારીને કારણે મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિ તમારા સ્વપ્નમાં સ્વસ્થ દેખાય, તો તે સૂચવે છે કે તેનો પુનર્જન્મ કોઈ અનુકૂળ જગ્યાએ થયો છે. આને આશ્વાસન આપનાર સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે; તમારે તમારી ચિંતાઓને બાજુ પર રાખીને આગળ વધવું જોઈએ.
જો કોઈ સ્વસ્થ વ્યક્તિનું અચાનક મૃત્યુ થયુ હોય અને તેસપનામાં બીમાર દેખાય, તો તેનો અર્થ એ છે કે તેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. જો તમને મૃતાત્માની એ ઈચ્છા વિશે ખ્યાલ હોય કે તે ઇચ્છા શું હોઈ શકે છે, તો તમારે ચોક્કસપણે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
જો તમે સ્વપ્નમાં કોઈ જીવંત વ્યક્તિને મૃત જોશો, તો ગભરાવાની જરૂર નથી. સ્વપ્ન શાસ્ત્ર મુજબ, તેનો અર્થ ઉલટો થાય છે. તે દર્શાવે છે કે વ્યક્તિનું આયુષ્ય ખરેખર વધી રહ્યું છે.
જો મૃતક સંબંધીઓ સ્વપ્નમાં દેખાય છે પણ મૌન રહે છે, તો તે એક સંકેત છે કે તેઓ તમને કોઈક વાત બાબતે સાવચેત કરવા માગે છે. શક્ય છે કે તમે કોઈ ખોટું પગલું ભરવા જઈ રહ્યા હોય. એવા સમયે આ પ્રકારનું સપનુ તમને એ કરતા અટકાવવાનો સંકેત હોઈ શકે.
જો મૃતક સંબંધીઓ સ્વપ્નમાં આશીર્વાદ આપે છે, તો તે સફળતાની નિશાની છે. જો કે, જો તેઓ ઉદાસ કે ગુસ્સે દેખાય છે, તો સમજો કે તમે જે નિર્ણય લીધો છે અથવા લેવાના છો – તે ખોટો હોઈ શકે છે.
જો તમને લાગે કે મૃતક સંબંધીઓ ભૂખ્યા છે અથવા તેમની પાસે ચંપલ નથી તો તેનો અર્થ એ છે કે તેઓ તમારી પાસેથી કંઈક માંગી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમની ગર્ભિત ઇચ્છા અનુસાર જરૂરી વસ્તુનું દાન કરો અને મનોમન તેમને સમર્પિક કરો.
જો તેઓ તમારા ઘરની અંદર અથવા નજીક દેખાય છે, તો તે સૂચવે છે કે તેઓ પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આ કિસ્સામાં, અમાસના દિવસે તમારા પૂર્વજોના નામે દાન કરો અને ગાયને રોટલી ખવડાવો.
સ્વપ્નમાં અંતિમ સંસ્કાર જોવા અશુભ માનવામાં આવતું નથી. આ સૂચવે છે કે તમારી ઇચ્છાઓ પૂર્ણ થવાની છે.
જો મૃતક ગુસ્સે દેખાય છે, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારી પાસેથી કંઈક ઇચ્છે છે. ભલે તેઓ રડતા દેખાય, તે એક શુભ સંકેત માનવામાં આવે છે, કારણ કે તે તમારા જીવનમાં આવનારા સારા સમય તરફ નિર્દેશ કરે છે.