અપરા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કામ ! નહીંતર, બનવું પડશે શ્રીવિષ્ણુના ક્રોધનો ભોગ !

|

May 15, 2023 | 6:20 AM

અપરા એકાદશીના (Apara Ekadashi) દિવસે કાળા રંગના કપડા પહેરવા ન જોઇએ. એકાદશીના વ્રતમાં આ રંગના કપડા પહેરવું અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જેમણે વ્રત કર્યું હોય તેમણે તો કાળા રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ.

અપરા એકાદશીએ ભૂલથી પણ ન કરતા આ કામ ! નહીંતર, બનવું પડશે શ્રીવિષ્ણુના ક્રોધનો ભોગ !

Follow us on

આજે અપરા એકાદશી વ્રતનો અવસર છે. વૈશાખ માસના વદ પક્ષની આ એકાદશી અત્યંત ફળદાયી મનાય છે. તે મનોકામનાની પૂર્તિ કરનારી અને મોક્ષ પ્રદાન કરનારી મનાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી આ એકાદશીનું વ્રત કરનારના અશક્ય કાર્યો પણ શક્ય બની જાય છે.

અપરા એકાદશી આમ તો તમામ પ્રકારના દુઃખો દૂર કરનારી એકાદશી છે. પણ, આ એકાદશીનું વ્રત કરનારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિને વ્રતથી પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી. એટલું જ નહીં, ઘણીવાર તો એણે સ્વયં શ્રીહરિની નારાજગી સહન કરવાનો પણ વારો આવે છે. આવો, આજે તે જ સંદર્ભમાં મહત્વની જાણકારી મેળવીએ.

શું રાખશો વિશેષ ધ્યાન ?

⦁ અપરા એકાદશીના અવસરે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. પણ, જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો પણ કેટલાંક શાકભાજીનો ભોજનમાં નિષેધ કરવામાં આવ્યો છે. જેમ કે રીંગણ, ગાજર, સલગમ વગેરે બિલકુલ પણ ગ્રહણ ન કરવા જોઈએ.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

⦁ હિન્દુ ધર્મ અનુસાર એકાદશીના દિવસે અક્ષતનું એટલે કે ચોખાનું સેવન ન કરવું જોઇએ. એવું કહેવાય છે કે આ દિવસે અક્ષતનું સેવન કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ સરીસૃપ જીવ જાતિમાં થાય છે.

⦁ આ દિવસે માંસ, મદિરા, તેમજ મસૂરની દાળ જેવા તામસી આહારથી વ્યક્તિએ દૂર જ રહેવું જોઈએ.

⦁ અપરા એકાદશીના દિવસે વ્રત કરનાર જાતકે પાનનું સેવન ન કરવું જોઇએ. આ દિવસે પાનનું સેવન કરવું નિષેધ માનવામાં આવ્યું છે તેનાથી મનમાં રજોગુણની વૃત્તિ વધે છે.

⦁ આ વ્રત કરનાર જાતકે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

⦁ વ્રત કરનાર જાતકે કોઇની પણ નિંદા, ધૃણા, લોભ કે ચોરી જેવા ધૃણિત કર્મો કરવાથી બચવું જોઇએ.

⦁ એકાદશીના દિવસે નખ, વાળ અને દાઢી કરવાનું વર્જીત માનવામાં આવે છે. તે જ રીતે આ દિવસે કપડા અને વાળ ધોવા પણ વર્જિત માનવામાં આવે છે.

⦁ એકાદશીના દિવસે ભૂલથી પણ ગુસ્સો ન કરવો જોઇએ. ગુસ્સો એક પ્રકારની માનસિક હિંસા જ છે. તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિ નાશ પામે છે. એટલે આજના દિવસે ગુસ્સો પણ ન કરવો અને કોઇપણ પ્રકારના અપશબ્દો પણ ન બોલવા જોઈએ.

⦁ એકાદશીના દિવસે કાળા રંગના કપડા પહેરવા ન જોઇએ. એકાદશીના વ્રતમાં આ રંગના કપડા પહેરવું અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જેમણે વ્રત કર્યું હોય તેમણે તો કાળા રંગના વસ્ત્ર ધારણ ન જ કરવા જોઈએ.

⦁ શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર અપરા એકાદશીના દિવસે વ્રત કરનાર જાતકે રાત્રે સૂવું ન જોઈએ. રાત્રે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો તેમજ ભજન કિર્તન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહે છે કે આ કાર્ય કરવાથી ભગવાન વિષ્ણુની સંપૂર્ણ કૃપાની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article