Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !

|

Oct 03, 2021 | 11:25 AM

સર્વ પિતૃ અમાસનું એક આગવું જ મહત્વ છે. તેમાં પણ આ વખતે અમાસે ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. પિતૃતર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે.

Sarva Pitru Amavasya 2021: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !
ગજછાયા યોગમાં શ્રાદ્ધથી પિતૃઓ 12 વર્ષ માટે થશે તૃપ્ત !

Follow us on

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાદ્ધ વિધિ (Shraddha Vidhi) પિતૃઓને તો તારે જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. આમ તો દરેક અમાસ પિતૃઓને સમર્પિત છે. પરંતુ, ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે. આ અમાસ સર્વ પિતૃ અમાસ (Sarva Pitru Amavasya) તરીકે ઓળખાય છે. કહે છે કે આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. ખાસ વાત તો એ છે કે આ વર્ષે આ અમાસ વિશેષ સંયોગ સાથે આવી રહી છે.

આ વર્ષે સર્વ પિતૃ અમાસ 6 ઓક્ટોબર, 2021 ને બુધવારના રોજ આવી રહી છે. બુધવારી અમાસનું એક આગવું જ મહત્વ છે અને તેમાં પણ આ વખતે અમાસના રોજ ગજછાયા યોગ સર્જાઈ રહ્યો છે. આ યોગને ગજચ્છાયા યોગ (Gajachchhaya Yoga) પણ કહે છે. માન્યતા અનુસાર પિતૃ તર્પણ માટે, પિંડદાન માટે કે નારાયણ નાગબલી જેવી વિધિ માટે આ યોગ સર્વોત્તમ છે. પુરાણાનાસુર જોઈએ તો ગજછાયા યોગમાં શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ 12 વર્ષ માટે તૃપ્ત થઈ જાય છે ! એટલે કે તેમની 12 વર્ષની ક્ષુધા એક જ દિવસના શ્રાદ્ધકર્મથી શાંત થઈ જાય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો લગભગ 11 વર્ષ પૂર્વે 2010માં આ યોગ સર્જાયો હતો અને હવે પછી 8 વર્ષ બાદ એટલે કે 2029 માં આ યોગ સર્જાશે. એટલે કે પિતૃઓને તૃપ્ત કરવાનો આ શ્રેષ્ઠ અને દુર્લભ અવસર છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને હસ્ત નક્ષત્રમાં હોય ત્યારે તેને ગજછાયા યોગ કહેવામાં આવે છે. મોટાભાગે પિતૃપક્ષ દરમિયાન જ આ યોગ સર્જાતો હોય છે. પણ, આ વખતે તે અમાસે હોઈ, તેનો વિશેષ મહિમા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જેમની મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું. તેમજ જરૂરિયાતમંદોને દાન આપવું. સામાન્ય દિવસોમાં થતા દાન કરતા ગજછાયા યોગમાં થતું દાન અનેક ગણાં પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આ દિવસે શ્રાદ્ધકર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે. સાથે જ શ્રાદ્ધકર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.

માન્યતા અનુસાર ગજછાયા યોગમાં સર્વ પિતૃ અમાસે જે વ્યક્તિ શ્રાદ્ધકર્મ કરે છે તેને દેવામાંથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, તેના ઘરમાં સુખ-શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં પ્રાપ્ત કરો પિતૃઓની સાથે દેવી લક્ષ્મીના આશિર્વાદ ! એક સરળ ઉપાયથી દૂર થશે આપની આર્થિક પરેશાની

આ પણ વાંચોઃ માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ! જાણો પિતૃ મોક્ષ મંત્ર

Next Article