PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ

|

Dec 07, 2022 | 6:34 AM

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે.

PNB ના ગ્રાહકો માટે બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સુવિધા ઠપ્પ થવાનો ભય, સમસ્યા ટાળવા વહેલી તકે નિપટાવીલો આ કામ
Updating KYC is mandatory

Follow us on

જો તમારું પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે હજી સુધી તેમનું KYC અપડેટ કર્યું નથી. એટલા માટે PNBએ તેના ગ્રાહકોને KYC અપડેટ કરવા અંગે ચેતવણી આપી છે. આ માટે બેંકે 12 ડિસેમ્બર 2022ની સમયમર્યાદા નક્કી કરી છે. પંજાબ નેશનલ બેંક દ્વારા તેના ગ્રાહકોને KYC અપડેટ માટે SMS, ઈ-મેલ અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જાણ કરવામાં આવી છે. જે ગ્રાહકોએ આ સમયમર્યાદા પહેલા તેમના KYC અપડેટ નહીં કરે તેમને બેંકિંગ અને વ્યવહારોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

બેંકિંગ અને લેવડદેવડ સંબંધિત કોઈ કામ થશે નહીં

જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ કરાવશે નહિ તો તેને બેંકિંગ અને ટ્રાન્ઝેક્શન સંબંધિત કામમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન કરવા પર અસ્થાયી પ્રતિબંધ લાગી શકે છે. સેવાઓ ફરીથી શરૂ કરવા માટે ગ્રાહકોએ બેંક શાખાની મુલાકાત લેવી પડશે. જો તમે હજુ સુધી KYC કર્યું નથી તો આ સમસ્યાઓથી દૂર રહેવા માટે તમારા એકાઉન્ટનું KYC જલ્દી અપડેટ કરાવો.

આરબીઆઈની ગાઈડલાઈનનું પાલન જરૂરી

કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હેઠળ તમામ બેંકો માટે ગ્રાહકોના કેવાયસી અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને PNBએ તેના ગ્રાહકોને વહેલી તકે KYC અપડેટ કરવાની અપીલ કરી છે. હજુ પણ બેંકના ઘણા એવા ગ્રાહકો છે જેમણે પોતાનું KYC અપડેટ કર્યું નથી. PNBએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

KYC કેવી રીતે કરવું

બેંક ખાતાના કેવાયસીને અપડેટ કરવા માટે તમે તમારી બેંકની નજીકની શાખામાં જઈને તેને પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે દસ્તાવેજોની જરૂર પડશે. બેંકની મુલાકાત લઈને અને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી સાથે આ દસ્તાવેજો જોડીને તમે સરળતાથી તમારું KYC અપડેટ કરાવી શકો છો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે KYC માટે બેંક તમને મેસેજ કે ફોન પર તમારી અંગત માહિતી માંગતી નથી. તેથી આવા કોઈપણ કોલ અથવા મેસેજ પર બિલકુલ વિશ્વાસ કરવો નહિ.

Next Article