Breaking News: પહેલા 50,000 અને હવે બીજા 50,000… કંપની કુલ 1,00,000 પરિવારોની ‘રોજીરોટી’ છીનવશે

ઓટોમોબાઈલ સેક્ટરમાંથી એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અગ્રણી કંપનીમાં પહેલા 50,000 અને હવે વધુ 50,000 મળીને કુલ 1,00,000 કર્મચારીઓની નોકરીઓ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા અને ખર્ચ ઘટાડવા માટે કંપની આ આકરો નિર્ણય લેવા જઈ રહી છે, જેના કારણે લાખો પરિવારોની રોજીરોટી જોખમમાં મુકાઈ છે.

Breaking News: પહેલા 50,000 અને હવે બીજા 50,000... કંપની કુલ 1,00,000 પરિવારોની રોજીરોટી છીનવશે
Image Credit source: AI Generated
| Updated on: Jul 13, 2026 | 9:06 PM

ફોક્સવેગન (Volkswagen) માં ફરી એકવાર મોટાપાયે નોકરીઓ જવાની આશંકા સેવાઈ રહી છે. કંપનીના કર્મચારીઓને મોકલવામાં આવેલા એક આંતરિક સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે, હરીફાઈમાં ટકી રહેવા માટે અંદાજે વધુ 50,000 પદ ઓછા કરવા પડી શકે છે.

આ પહેલા પણ કંપની 50,000 કર્મચારીઓની છટણી કરવા માટે સંમતિ આપી ચૂકી છે. આવી સ્થિતિમાં પ્રભાવિત કર્મચારીઓની કુલ સંખ્યા 1,00,000 સુધી પહોંચી શકે છે. આનું મુખ્ય કારણ કંપની પર વધતા ખર્ચ અને નબળા નફાનું દબાણ છે.

50,000 કર્મચારીઓની છટણી પર બનેલી ‘સંમતિ’

રોઇટર્સના અહેવાલ મુજબ, ફોક્સવેગન તેના અલગ-અલગ વ્યવસાયોમાં અંદાજે 50,000 નોકરીઓ ઘટાડવાની યોજના પર પહેલેથી જ આગળ વધી ચૂકી છે. આમાં તેની અગ્રણી બ્રાન્ડ્સ જેવી કે, પોર્શે અને ઓડી પણ જોડાયેલ છે. હવે કંપનીનું કહેવું છે કે, ખર્ચ ઘટાડવા માટે વધુ પગલાં લેવાની જરૂર છે. જો આ નવી યોજના લાગુ કરવામાં આવશે, તો કુલ છટણીનો આંકડો એક લાખ સુધી પહોંચી શકે છે.

કંપની પર અનેક તરફથી વધ્યું ‘દબાણ’

કંપની હાલમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. આયાત ડ્યુટી (ઇમ્પોર્ટ ડ્યુટી) સાથે જોડાયેલા વધતા ખર્ચ તેના નફા પર અસર કરી રહ્યા છે. ચીનમાં કડક હરીફાઈના કારણે વેચાણ પર દબાણ છે. આ સાથે જ જર્મનીમાં આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને વધુ કાર્યક્ષમ (સ્કિલ) બનાવવાની જરૂરિયાત પણ અનુભવાઈ રહી છે. આ જ કારણોસર કંપની ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

ચાર ફેક્ટરીઓના ભવિષ્ય પર ‘સંશય’

મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) એ જણાવ્યું કે, કંપની હજુ સુધી એ નક્કી કરી શકી નથી કે આગામી વર્ષોમાં ચાર કારખાનાઓનું સંચાલન કઈ રીતે કરવામાં આવશે. આમાં એમડેન, હેનોવર, ઝ્વિકાઉ અને નેકારસુલ્મના યુનિટ્સના નામ છે. અનેક લેબર સંગઠનોએ પુનર્ગઠનની કેટલીક યોજનાઓનો વિરોધ પણ કર્યો છે. આ જ કારણે હજુ સુધી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી.

દરેક બ્રાન્ડ અને સેક્ટરમાં થઈ રહ્યું છે ‘મૂલ્યાંકન’

કંપનીએ જણાવ્યું છે કે, તે પોતાની તમામ બ્રાન્ડ, યુનિટ્સ અને સેક્ટરની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે, ક્યાં કેટલા ફેરફારો જરૂરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, તેઓ એક વ્યવહારુ અને સંતુલિત ઉકેલ શોધી રહ્યા છે. આથી હજુ અંતિમ સંખ્યા નક્કી કરવામાં આવી નથી.

શું વરસાદમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવી જોઈએ? ચોમાસામાં EV ચલાવતા કરી આ ભૂલ તો ભારે પડશે

Follow Us