અજીત પવાર

અજીત પવાર

અજિત પવાર એનસીપીના મુખ્ય નેતા છે. મહારાષ્ટ્રના મહત્વના રાજકારણી પણ છે. અજિત પવાર શરદ પવારના ભત્રીજા છે. અજીત પવારને લોકો અજીતદાદાના નામે બોલાવે છે. રાજ્યમાં પાંચ વખત નાયબ મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ તેમના નામે છે. 1991 થી, અજીતદાદા બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેમણે લોકસભાની ચૂંટણી પણ લડી હતી. અજીતદાદાએ 2019માં એનસીપીમાં સૌપ્રથમ બળવો કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે હાથ મિલાવ્યા અને વહેલી સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે તેમને બહુમતી ધારાસભ્યોનું સમર્થન હતું.

જોકે, શરદ પવારે તેમના બળવાને કચડી નાખ્યો હતો. ત્રણ દિવસમાં અજિતદાદાએ રાજીનામું આપ્યું અને ઘરે પાછા ફર્યા. તે પછી અજીતદાદાએ ફરી એકવાર NCPમાં બળવો કર્યો. તેમણે 40 ધારાસભ્યો સાથે NCP છોડી દીધી. તેમણે શિંદે જૂથ અને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને મહાગઠબંધન સરકારમાં જોડાયા છે. 2 જુલાઈ 2023 થી, તેઓ દેવેન્દ્ર ફડણવીસ સાથે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની કેબિનેટમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. 2022-23 દરમિયાન, તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું છે. અજિત પવારે પણ એનસીપી અધ્યક્ષ પદનો દાવો કર્યો છે. તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ રાખવા માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે.

 

Read More

Maharashtra News: શરદ પવારના નામ અને ફોટાનો ઉપયોગ કરવા બદલ સુપ્રીમ કોર્ટની અજિત પવાર જૂથને ફટકાર

અજિત પવાર જૂથ પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. શરદ પવારના નામ અને ફોટાના ઉપયોગને લઈને શરદ પવારના જૂથે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે બાદ કોર્ટે અજિત પવાર જૂથને જોરદાર ઠપકો આપ્યો છે. અજિત પવાર જૂથ હજુ પણ મતદારોને અપીલ કરવા માટે શરદ પવારના નામ અને ચિત્રનો ઉપયોગ કરી રહ્યું છે

મહારાષ્ટ્ર અંગે આજે અંતિમ નિર્ણય! અમિત શાહની સાથે શિંદે-અજિત પવારની બેઠકમાં નક્કી થશે સીટોની વહેંચણી

દિલ્હીમાં આ બેઠક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આવાસ પર થશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સીટ શેયરિંગ પર ચર્ચા કરવામાં આવશે, ત્યારબાદ ઝડપી જ લોકસભા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">